Wednesday, May 25, 2022
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home સ્પેશિયલ

બહેતર વિકલ્પ હોવાને કારણે ભારતને ઇજાગ્રસ્તોની સમસ્યા નડતી નથી

by Editors
March 28, 2021
in સ્પેશિયલ
Reading Time: 1min read
બહેતર વિકલ્પ હોવાને કારણે ભારતને ઇજાગ્રસ્તોની સમસ્યા નડતી નથી
114
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે સિરીઝ રમી હતી. સિરીઝમાં અપેક્ષા મુજબ જ પરિણા આવ્યું. જે રીતે ઇંગ્લેન્ડે ચેન્નાઈના ચેપોક ખાતે પ્રથમ ટેસ્ટ જીતી હતી તે જોતાં તો એમ લાગતું હતું કે બાકી રહેલી ટેસ્ટ અને અન્ય ફોર્મેટની મેચો રોમાંચક બનશે પરંતુ બાકીની ત્રણ ટેસ્ટમાં ભારતનો એક તરફી વિજય થયો. તેમાંય મોટેરા ખાતે રમાયેલી ( આ મેદાન પરની પ્રથમ ટેસ્ટ) ત્રીજી ટેસ્ટ તો માત્ર બે દિવસમાં જ પૂર્ણ થઈ ગઈ. ટી20 સિરીઝ થોડી રોમાંચક રહી કેમ કે તેમાં પહેલી ચાર મેચ સુધી બંને ટીમ સમાન રીતે રમતી રહી અને જીતતી રહી પણ છેલ્લી મેચમાં ભારત મેદાન મારી ગયું. વન-ડે સિરીઝમાં તો પહેલી જ મેચમાં ભારતે શાનદાર દેખાવ કર્યો હતો.
વિરાટ કોહલીની ટીમ અત્યંત મજબૂત છે. ભારતીય ટીમની હજી સુધી તો કોઈ નબળાઈ બહાર આવી નથી કેમ કે તેનું પ્રદર્શન જ એ પ્રકારનું રહ્યું છે પરંતુ આ વખતે ભારતને ઇજાની સમસ્યા નડી રહી છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ઉપરા ઉપરી ખેલાડીઓ ઘાયલ થયા હતા. આમ છતાં ભારતે કોહલી સહિતના કેટલાક સ્ટાર ખેલાડીની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી એ બાબત નોંધવામાં આવી છે કે તમારી પાસે બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત હોય તો જ તમે આગળ વધી શકો. ભારત પાસે બેન્ચ સ્ટ્રેન્થ વધુ મજબૂત છે. જે ટીમ રવીન્દ્ર જાડેજા જેવા ઉપયોગી ઓલરાઉન્ડર અને ચપળ ફિલ્ડર ઘાયલ હોવા છતાં જીતી શકતી હોય, જે ટીમ શ્રેયસ ઐયર કે તેના જેવા પ્રતિભાશાળી ખેલાડી વિના રમી શકતી હોય તે ખરેખર પ્રશંસનીય બાબત છે. અગાઉ ગયા વર્ષે વર્લ્ડ કપ વખતે ભારતે રિશભ પંત જેવા ખેલાડીને બહાર રાખવાનું જોખમ લીધું હતું. જે ટીમ રિશભ પંત જેવા આક્રમક બેટ્સમેનને વર્લ્ડ કપ અગાઉ બહાર રાખી શકતી હોય તે ખરેખર મજબૂત લેખાશે. આ રીતે જોઈએ તો ભારતીય ટીમ મેનેજમેન્ટે છેલ્લા કેટલાક સમયમાં આ વિકલ્પો મજબૂત કર્યા છે તે બાબત પ્રશંસનીય છે.
આજે સ્થિતિ એ છે કે વિરાટ કોહલીની ટીમમાં શિખર ધવન કે ભુવનેશ્વર કુમાર રમે નહીં તો પણ ટીમના પરિણામ પર ખાસ ફરક પડવાનો નથી. વિરાટ કોહલીની ભારતીય ટીમે આ જ લય જાળવી રાખીને આગામી મેચોમાં રમવાનું છે.
અગાઉ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ટીમ સામે અલગ જ પ્રકારનો પડકાર આવ્યો હતો. દરેક ટીમને એક ચિંતા સતાવતી હોય છે કે તેના સુપર સ્ટાર ખેલાડીની નિવૃત્તિ બાદ શું થશે? સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, અનીલ કુંબલે, સૌરવ ગાંગુલી જેવા સ્ટારની વિદાય બાદ તો ધોની અને કોહલી હતા પણ આ ખેલાડીઓ બાદ કોણ તેવા સવાલનો જવાબ અજિંક્ય રહાણે અને તેના યુવાન સાથીઓએ એક જ સિરીઝ અને કદાચ એક જ મેચમાં આપી દીધો અને સંકેત આપી દીધા કે ભારતનું ભવિષ્ય સલામત છે. આ યુવાનોએ ભારતીય ક્રિકેટનું ભાવિ ઉજ્જવળ બનાવી દીધું છે.
સૌથી અગત્યની વાત તો એ છે કે જે રીતે ભારતીય ટીમે સફળતા હાંસલ કરી છે તેનાથી ભારતીય ટીમ ફરીથી ક્રિકેટ જગતમાં વર્ચસ્વ જમાવી શકી છે. અન્ય મેચો કે સિરીઝ કરતાં આ વખતના સંજોગો અલગ હતા. આ વખતે ટીમના મોટા ભાગના સ્ટાર ઘાયલ હતા તેમને સ્થાને આવેલા ખેલાડીઓ યુવાન અને બિનઅનુભવી હતા અને ખાસ તો તેમને બ્રિસબેનના ગાબા ખાતે સિરીઝની નિર્ણાયક મેચમાં રમવાનું હતું.
ઇંગ્લેન્ડ સામેની પહેલી વન-ડે બાદ રોહિત શર્મા અને શ્રેયસ ઐયર ઘાયલ થયા તેમ છતાં ભારતને ચિંતા ન હતી કેમ કે તેની પાસે વિકલ્પો તૈયાર હતા. હકીકતમાં ટીમ મેનેજમેન્ટે છેલ્લા કેટલાક સમયથી આ જ દિશામાં તૈયારી કરી હતી. રવિ શાસ્ત્રી અને તેના સપોર્ટ સ્ટાફ પાસેથી આવી જ અપેક્ષા પણ રાખવામાં આવી રહી છે.
આવી જ રીતે ઓસ્ટ્રેલિયાના સમગ્ર પ્રવાસ દરમિયાન ભારતની સમસ્યા ઇજાગ્રસ્તોની રહી હતી. પ્રવાસનો પ્રારંભ થાય તે અગાઉ તો ઇશાન્ત શર્મા ઘાયલ થયો ત્યાર બાદ રોહિત શર્મા પૂરી સિરીઝ રમી શક્યો નહીં પણ માત્ર બે જ ટેસ્ટ રમવા માટે સિડની પહોંચ્યો. છેલ્લી ટેસ્ટમાં તો એવી હાલત થઈ કે ટીમના મોટા ભાગના ખેલાડીઓ ઘાયલ હતા. એવી પણ મજાક થતી હતી કે ટીમનો બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને ચીફ કોચ રવિ શાસ્ત્રી હવે તો મેદાનમાં ઉતરે તો જ અંતિમ ઇલેવન તૈયાર થઈ શકે. આ સંજોગોમાં ભારતે નવોદિતોની મદદથી આખરી ઇલેવન મેદાનમાં ઉતારી અને અંતે 328 રનના આકરો ટારગેટ પાર કરીને કાંગારું ટીમને 32 વર્ષમાં પહેલી વાર ગાબા ક્રિકેટ ગ્રાઉન્ડ (બ્રિસબેન) ખાતે હરાવી દીધી. ઓસ્ટ્રેલિયા માટે ગાબા તેનો ગઢ હતો અને અહીં તે 1988 બાદ ક્યારેય હારી ન હતી પણ મોહમ્મદ સિરાઝ, શાર્દૂલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર અને રિશભ પંત જેવા નવા નિશાળીયા સામે તેમને હારનો સામનો કરવો પડ્યો.
અહીં જ ભારતની બેન્ચ સ્ટ્રેન્થ કામમાં આવી ગઈ. ભારતના નવોદિતો અથવા તો ઓછો અનુભવ ધરાવતા ખેલાડીઓએ એવું પ્રદર્શન કર્યું કે આ પ્રવાસ યાદગાર સાબિત થયો. સામાન્ય રીતે હરીફ ટીમને માનસિક રીતે તોડી પાડવા માટે જાણીતા એવા કાંગારું ખેલાડીઓ પણ અવાચક થઈ ગયા. તાજેતરના ગાળામાં ભારતની નવી શોધ વિશે વાત કરીએ તો મોહમ્મદ સિરાઝ, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, શુભમન ગિલ, હનુમા વિહારી, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, શ્રેયસ ઐયર તમામે પ્રભાવિત કર્યા છે.

સ્પોર્ટ્સ કોર્નર

સિધ્ધાર્થ ત્રિવેદી☝🏼

ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

કોરોના રોકેટ સ્પીડે : હવે કોરોનાથી આ 7 શહેરોમાં લોકડાઉન લદાયુ

Next Post

PFની ફરિયાદનોનું હવે WhatsApp પર જ સમાધાન થઈ જશે

Related Posts

ઠાકોર, પટેલ અને મેવાણી.. શું ગુજરાત કોંગ્રેસ આ ત્રણ ચહેરાઓ પર 2022ની ચૂંટણી સર કરી શકશે?
સ્પેશિયલ

ઠાકોર, પટેલ અને મેવાણી.. શું ગુજરાત કોંગ્રેસ આ ત્રણ ચહેરાઓ પર 2022ની ચૂંટણી સર કરી શકશે?

December 3, 2021
199
અંગત વિચારો અંગત જ રાખવા જોઈએ
સ્પેશિયલ

અંગત વિચારો અંગત જ રાખવા જોઈએ

April 15, 2021
179
મમતાદીદીની ‘મધુર’ વાણીઃ “મોદી દુર્યોધન છે, દુશાસન છે”
સ્પેશિયલ

મમતાદીદીની ‘મધુર’ વાણીઃ “મોદી દુર્યોધન છે, દુશાસન છે”

March 24, 2021
415
એન્ટિલિયા, વિસ્ફોટક, 100 કરોડનું ‘પરમ’ સત્ય ક્યારેય બહાર નહીં આવે
સ્પેશિયલ

એન્ટિલિયા, વિસ્ફોટક, 100 કરોડનું ‘પરમ’ સત્ય ક્યારેય બહાર નહીં આવે

March 23, 2021
118
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ : ભારત કે ન્યૂઝીલેન્ડ માટે માર્ગ આસાન નથી
સ્પેશિયલ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ : ભારત કે ન્યૂઝીલેન્ડ માટે માર્ગ આસાન નથી

March 20, 2021
84
તાતા કેમ મહાન સંસ્થા છે ?
સ્પેશિયલ

તાતા કેમ મહાન સંસ્થા છે ?

March 19, 2021
52
Next Post
PFની ફરિયાદનોનું હવે WhatsApp પર જ સમાધાન થઈ જશે

PFની ફરિયાદનોનું હવે WhatsApp પર જ સમાધાન થઈ જશે

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ
નેશનલ

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

by Editors
April 8, 2022
92
મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ
નેશનલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

by Editors
April 8, 2022
321
આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો
નેશનલ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

by Editors
April 8, 2022
428
અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી
નેશનલ

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

by Editors
April 8, 2022
529
બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા
નેશનલ

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

by Editors
April 8, 2022
2.2k

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

IPL 2022માં સૌથી વધુ રન બનાવનારા આ ત્રણ ખેલાડીઓમાં છે જબરદસ્ત કનેક્શન, જાણીને ચોકીં ઉઠશો

  • વાપીના હ્યુબરવાળા સુરેશ પટેલ તથા હરિયા પરિવારના તુષાર હરિયાનાં દિકરી-દિકરાનાં ગોવા ખાતે લગ્નમાં જઇ આવેલા વાપીનાં ૫૦ ઉદ્યોગપતિ, વેપારીઓ કોરોના સંક્રમિત થતાં હાહાકાર

    0 shares
    Share 0 Tweet 0
  • શેત્રુંજ્ય તીર્થ પર પુજાની વહીવટી તંત્રની મંજૂરી : ભારતભરનાં જૈન સંઘોએ મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીનો આભાર માન્યો

    0 shares
    Share 0 Tweet 0
  • ગુજરાતના આ વિસ્તારમાં વીજ કટોકટી, બપોર પછી વીજ કાપ માટે તૈયાર રહો

    0 shares
    Share 0 Tweet 0
  • વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રના કપરાડા તાલુકાના ગજેન્દ્રકુમાર બન્યા ડે. કલેક્ટર

    0 shares
    Share 0 Tweet 0
  • શોખીનો માટે સારાં સમાચાર, દ.ગુજરાતના આ ચાર ગામડાઓ કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બનશે

    0 shares
    Share 0 Tweet 0
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
357947
Your IP Address : 35.170.82.159
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link