આશુતોશ અન્નક્ષેત્ર દ્વારા અમાસ ની એક દીવસ અગાવ રાતે મંદીર ની બહાર ભિક્ષુક જે બેઠા હોય એ લોકો ને બપોરે મિષ્ટાન ભોજન કાંતાબેન વિનયચંદ ગોપાલજીભાઈ કનાડિયા ત્રણસા વાળા – હાલ, ભાવનગર હસ્તે: કમલભાઈ વારૈયા તરફથી જમણવાર આપેલ છે અત્યાર સુધી માં 3 લાખ થી વધુ ભૂખ્યા ને ભોજન આપ્યું છે આ સંસ્થા એ, ઘરે જાતે રસોઈ બનાવી ભરદ્વાજબાપુ પોતે રોજ 200 થી વધુ ઝૂંપડપટ્ટી ના બાળકો તેમજ પાગલ, ભિક્ષુક, નિરાધાર ને ભોજન નિયમિત પહોંચાડે છે બાળકો ને રમકડાં તેમજ અભ્યાસલક્ષી વસ્તુ અવાર નવાર આપે છે કોરાના કાળ માં હોસ્પિટલ માં સવાર, બપોર, સાંજ હોસ્પિટલ માં ટિફિન સેવા પૂરી પાડી હતી, જન્મ દિવસ, લગ્ન દિવસ, પુણ્ય તિથિ વગેરે માં લોકો ઝૂંપડપટ્ટી ના બાળકો ને સ્વાદિષ્ટ ભોજન આપી ને ભગીરથ કાર્ય માં સહયોગ કરશો સંસ્થા દ્વારા ઉત્તમ પ્રવૃત્તિ માટે સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ અનેક એવોર્ડ પણ મળી ચુક્યા છે.આવી રીતે તળાજામાં ચાલી રહેલ આંસુતોષ અન્નક્ષેત્ર દ્વારા દરરોજના માટે ગરીબ લોકોને વિનામૂલ્ય ભોજન પૂરું પાડવામાં આવે છે