કોરોના વાયરસનો પ્રકોપ ફરી એકવાર શરૂ થયો છે. અમેરિકા અને બ્રિટન સહિત એશિયા અને યુરોપના ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ જોતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાની ચોથી લહેરની આશંકા સેવાઈ રહી છે. કર્ણાટકના આરોગ્ય પ્રધાન કે સુધાકરે વિધાન પરિષદને જણાવ્યું છે કે ભારતમાં ઓગસ્ટમાં રોગચાળાની ચોથી લહેર જોવા મળી શકે છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઘણા દેશોમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં અચાનક મોટો વધારો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે કોરોનાના સૌથી ઝડપથી ફેલાતા પ્રકાર ઓમિક્રોન સબવેરિયન્ટ BA.2 (Omicron subvariant BA.2)ના કેસ વધુ ઝડપથી વધી રહ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ દક્ષિણ કોરિયામાં છે, જ્યાં દરરોજ કોરોનાના લગભગ પાંચ લાખ કેસ સામે આવી રહ્યા છે.
કોરોનાના આ સબવેરિયન્ટના કેટલાક કેસ ભારતમાં પણ જોવા મળ્યા છે. સુધાકરે વિધાન પરિષદમાં કહ્યું છે કે ઓગસ્ટમાં દેશને ચોથી લહેરનો સામનો કરવો પડી શકે છે. IIT-કાનપુરના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ગાણિતિક મોડલમાં ઓગસ્ટમાં ચોથી લહેરની આગાહી કરવામાં આવી હતી.
ગયા મહિને હાથ ધરવામાં આવેલા ખાસ જીનોમ સિક્વન્સિંગ અભિયાનમાં દર્શાવવામાં આવ્યું હતું કે 89.6 ટકા નમૂનાઓમાં ઓમેક્રોન છે જ્યારે 10 ટકામાં ડેલ્ટા અને અન્ય પ્રકારો છે. ઓમિક્રોનના નમૂનામાં પણ 99.1 ટકા Ba.2 સબવેરિયન્ટ હતું. ઓમિક્રોનનું સબવેરિયન્ટ ba.2 સૌપ્રથમ ફિલિપાઈન્સમાં મળી આવ્યું હતું અને હવે તે 40 જુદા જુદા દેશોમાં ફેલાયું છે, એમ તેમણે જણાવ્યું હતું. તેથી આપણે હાઈ એલર્ટ રહેવાની જરૂર છે.
IIT-કાનપુરે તાજેતરના ગાણિતિક મોડલ અને અભ્યાસના આધારે ભારતમાં ચોથી લહેરની આગાહી કરી હતી. તે જ યાદ કરતાં સુધાકરે કહ્યું કે રિપોર્ટ અનુસાર ભારતમાં ચોથી લહેર ઓગસ્ટમાં ટોચે પહોંચવાની શક્યતા છે. પરંતુ આપણે ગભરાવાની જરૂર નથી કારણ કે અમે વ્યાપક રસીકરણ અભિયાન શરૂ કર્યું છે.