Headlines
Home » પ્લાસ્ટિક યુગ : ડોક્ટરોએ ઓપરેશન કરીને ગાયના પેટમાંથી કાઢ્યું આટલાં કિલો પ્લાસ્ટિક

પ્લાસ્ટિક યુગ : ડોક્ટરોએ ઓપરેશન કરીને ગાયના પેટમાંથી કાઢ્યું આટલાં કિલો પ્લાસ્ટિક

Share this news:

પ્લાસ્ટિક માત્ર માણસો માટે જ નહીં પરંતુ પ્રાણીઓ માટે પણ ખૂબ જ જોખમી છે. પ્લાસ્ટીકમાં બચેલો ખોરાક કેટલો ખતરનાક હોઈ શકે છે તેનો અંદાજ ગાયના પેટમાંથી 30 કિલો પ્લાસ્ટિક નીકળ્યો તે પરથી લગાવી શકાય છે. હકીકતમાં, ઓડિશાના બેરહામપુરમાં એક સરકારી પશુ ચિકિત્સા હોસ્પિટલના ડૉક્ટરોએ ગાયના પેટમાંથી લગભગ 30 કિલો પ્લાસ્ટિકની થેલીઓ કાઢી છે.

ગાયના પેટમાંથી પ્લાસ્ટિક નીકળવાની ઘટના પર ગંજમના મુખ્ય જિલ્લા પશુ ચિકિત્સા અધિકારી મનોજ કુમાર સાહુએ કહ્યું કે સત્ય નારાયણ કારના નેતૃત્વમાં પશુચિકિત્સકોની એક ટીમને ગાયના પેટમાંથી પ્લાસ્ટિક હટાવવા માટે ચાર કલાકનો સમય લાગ્યો. ગાયના પેટનું ઓપરેશન કરવું પડ્યું. આ દરમિયાન ડોક્ટરો ખૂબ જ નર્વસ હતા, કારણ કે આ ઓપરેશન એટલું સરળ નહોતું.

આ રખડતી ગાય લોકો દ્વારા પ્લાસ્ટિકની થેલીઓમાં ફેંકવામાં આવેલો બચેલો ખોરાક ખાઈ લેતી હતી. તેના કારણે તેના પેટમાં પ્લાસ્ટિકની થેલીઓ જમા થઈ ગઈ અને તેના આંતરડાને અસર થવા લાગી. નારાયણ કરને કહ્યું કે જો લાંબા સમય સુધી ધ્યાન આપવામાં ન આવ્યું હોત તો તેમનું મૃત્યુ થઈ શકે છે. આ 10 વર્ષની ગાયની હાલત હવે સ્થિર છે અને તે એક સપ્તાહ સુધી ડોક્ટરોની દેખરેખમાં રહેશે. ગયા વર્ષે પણ હોસ્પિટલના ડોક્ટરોએ આવી જ રીતે ગાયના પેટમાંથી 15 કિલો પ્લાસ્ટિકની થેલીઓ કાઢી હતી.

Share this news:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *