Friday, August 19, 2022
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home સ્પેશિયલ

આજે જાણી લો ખેડૂત આંદોલનની વાસ્તવિકતા

by Editors
January 19, 2021
in સ્પેશિયલ
Reading Time: 3min read
આજે જાણી લો ખેડૂત આંદોલનની વાસ્તવિકતા
67
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

2015ની ચાર ઑગસ્ટનો દિવસ હતો. સ્થળઃ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન જોસ શહેરનું ગુરુદ્વારા. ભારતને ચાહતા રાષ્ર્અવાદી સિખ શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા ત્યારે ત્યાં લગાવેલું એક પોસ્ટર જોઇને ચોંકી ગયા. પોસ્ટરમાં લખ્યું હતું – ખાલિસ્તાન માટે રેફરેન્ડમ-2020. 2018ની 23 જૂનનો દિવસ હતો. સ્થળઃ પાકિસ્તાનમાં રાવલપિંડી નજીક હસન અબ્દલ ખાતે આવેલું ગુરુદ્વારા. ત્યાંની મુલાકાતે ગયેલા પાકિસ્તાન ખાતેના ભારતીય રાજદૂત અજય બિસરિયાને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા એટલું જ નહીં પરંતુ ત્યાં ઉપસ્થિત મુઠ્ઠીભર લોકોએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. ભારતીય રાજદૂતે એ સ્થળની મુલાકાત લેવા પાકિસ્તાન સરકારની અગાઉથી પરવાનગી લીધી હતી અને તેથી તેમની સુરક્ષા કરવાની જવાબદારી પાકિસ્તાનની હતી, છતાં એ સ્થળે પાકિસ્તાની સલામતી દળોએ બિસરિયાને સુરક્ષા આપવાની ના પાડી અને તેથી તેમણે ઇસ્લામાબાદ પાછા ફરી જવું પડ્યું હતું. આ ઘટનાના બરાબર બે મહિના પહેલાં પણ અજય બિસરિયાને આ જ રીતે પાછા ફરવું પડ્યું હતું. હકીકતે, ભારતથી યાત્રાએ ગયેલા સિખ શ્રદ્ધાળુઓને મળવા બિસરિયાએ બે મહિનામાં બે વખત એ ગુરુદ્વારા જવા પ્રયાસ કર્યો, પણ ખાલિસ્તાનવાદીઓને કારણે તેમણે પરત ચાલ્યા જવું પડ્યું હતું.

2018ની 12 ઑગસ્ટનો દિવસ હતો. સ્થળઃ લંડનનું ટ્રફલગર સ્વેહાર. ગેરમાર્ગે દોરાયેલા સિખ નાગરિકો એકત્ર થયા ત્યારે તેમને ખબર પડી કે ત્યાં તો ભારતનું વધુ એક વિભાજન કરીને ખાલિસ્તાન બનાવવાની માગણી માટે પાકિસ્તાની એજન્ટો દ્વારા ઉશ્કેરણી કરવામાં આવી રહી છે. (અહીં ફોટામાં જે ટ્વિટ છે તેમાં પાકિસ્તાની એજન્ટનું નામ સ્પષ્ટ વાંચી શકાય છે) તો હવે તમને પ્રશ્ન એ થયો હશે કે છેક 2015ના અમેરિકાના બનાવને અને 2018ના પાકિસ્તાન તેમજ લંડનના બનાવને હાલના ખેડૂત આંદોલન સાથે શું લેવાદેવા! ઉપરની ત્રણે ઘટનાઓ સામાન્ય નથી, અને તેની ઉપેક્ષા કરવા જેવી નથી. સાચી વાત એ છે કે હાલના ખેડૂત આંદોલન સાથે તેનો સીધો સંબંધ છે. 2020માં ખાલિસ્તાન માટે રેફરેન્ડમ (લોકમત) લેવા માગતા અંતિમવાદીઓ છેલ્લા પાંચ-છ વર્ષથી વધારે સક્રિય થઈ ગયા હતા અને એવી કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યા હતા જેને કારણે તેમને તેમની વાત પંજાબના સામાન્ય નાગરિકોમાં ફેલાવવાની અને તેમના દ્વારા દેશ અને દુનિયાના સિખોને ભડકાવવાની તક મળે.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2021-01-19-at-4.00.41-AM-1.jpeg


આ તક મળી તેમને ખેડૂત કાયદા દ્વારા. આંદોલન કરી રહેલા પંજાબ તથા હરિયાણાના બધા ખેડૂતો અંતિમવાદી અથવા ખાલિસ્તાનના સમર્થક છે એવું કહેવાનો જરાય આશય જ નથી. હકીકતે સાચા ખેડૂતોને તો ખાલિસ્તાની ચળવળ વિશે કશી ખબર જ નથી. તેમને એ ખબર નથી કે ભારતને તોડવા માગતા પરિબળો ખેડૂત કાયદાના નામે અફવાઓ ફેલાવીને ખેડૂતોનો દુરુપયોગ જ કરી રહ્યા છે. આપણે આ જ સ્થળે ગયા મહિને ખેડૂત આંદોલન પાછળના રાજકારણ વિશે ચર્ચા કરી હતી (‘ખેડૂત રાજકારણ’ આપણને ક્યાં લઈ જશે ? (dgvartman.com)), પરંતુ ત્યારપછી સમય વિતતો ગયો એમ ખ્યાલ આવ્યો કે આ કહેવાતા ખેડૂત આંદોલન પાછળ તો સમગ્ર ખાલિસ્તાનવાદી ચળવળનું સમર્થન છે. અને ખાલિસ્તાની ચળવળને પાકિસ્તાનનું સમર્થન છે એ વાત જગજાહેર છે.

ADVERTISEMENT

પાકિસ્તાનીઓએ 70 વર્ષમાં પોતાની પ્રજાની પ્રગતિ અને સુખાકારીની દિશામાં કામ કરવાને બદલે, માત્ર એક જ કામ કર્યું છે – ભારતમાં ઘૂસણખોરી, ભારતમાં આતંક ફેલાવવો, જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદને નાણા અને શસ્રોભા પૂરા પાડવા તથા ખાલિસ્તાનવાદીઓને ઉશ્કેરવા. હવે મુદ્દો એ આવે કે, જો આ બધી વાતો મારા જેવા પત્રકારોને ખબર હોય તો પછી આટલા મોટા સરકારી તંત્રને ખબર ન હોય! સરકારી તંત્રને ખબર છે જ. પણ સરકાર ખરા અર્થમાં ધર્મસંકટ છે. કેમ કે આંદોલનમાં પહેલી હરોળમાં ખેડૂતો છે, મહિલાઓ છે. ખેડૂતો અને મહિલાઓની પાછળ સંતાયેલા કાયર અલગતાવાદીઓ અને પાકિસ્તાની સમર્થકો ઉપર સરકાર કોઇપણ કાર્યવાહી કરવા જાય તો ખેડૂતો અને મહિલાઓને નુકસાન થાય અને પરિણામે સરકાર માટે આંતરરાષ્રી ાય સ્તરે બદનામી થાય. તમને સૌને યાદ હશે કે, (નાગરિકતા કાયદો) CAA ના વિરોધમાં દિલ્હીના શાહીનબાગમાં જેહાદીઓએ મહિલાઓ તેમજ વયોવૃદ્ધ લોકોનો અને અમુક કિસ્સામાં બાળકોનો ઉપયોગ કર્યો હતો, પરિણામે સરકાર પગલાં લઈ શકતી નહોતી. એવી જ સ્થિતિ હાલ દિલ્હીની પંજાબ અને હરિયાણા તરફની સરહદે છે.

પાકિસ્તાન સમર્થિત ખાલિસ્તાનવાદીઓએ ખુલ્લેઆમ પોસ્ટર જાહેર કરીને 26 જાન્યુઆરીએ રાજપથ ઉપર ખાલિસ્તાની ધ્વજ ફરકાવનારને જંગી રકમનું ઇનામ આપવાની જાહેરાત કરી છે એ શું બતાવે છે? પાકિસ્તાન સમર્થિત ખાલિસ્તાનીઓ 2024ની લોકસભા ચૂંટણી સુધી આંદોલન ચાલુ રાખવાની વાતો કરે છે એ શું બતાવે છે? આટલું બધું જોયા – જાણ્યા પછી પણ દિલ્હીની આસપાસ જે કંઈ થઈ રહ્યું છે તેને કોઈ જો ખેડૂત આંદોલન કહેતા હોય અને એ નામે તેને સમર્થન આપતા હોય…તો પછી એવા લોકોના કાવતરાંથી આ દેશને માત્ર ભગવાન જ બચાવી શકે.

ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

રાજનાથ સિંહે કર્યો લલકાર, આત્મસન્માનને ઠેસ પહોંચી તો સૈનિકો જડબાતોડ જવાબ આપશે

Next Post

Facebook-Twitterના માધ્યમથી કંપનીઓ સામે થતી ફરિયાદો ફરિયાદી માટે જ જોખમી

Related Posts

ઠાકોર, પટેલ અને મેવાણી.. શું ગુજરાત કોંગ્રેસ આ ત્રણ ચહેરાઓ પર 2022ની ચૂંટણી સર કરી શકશે?
સ્પેશિયલ

ઠાકોર, પટેલ અને મેવાણી.. શું ગુજરાત કોંગ્રેસ આ ત્રણ ચહેરાઓ પર 2022ની ચૂંટણી સર કરી શકશે?

December 3, 2021
224
અંગત વિચારો અંગત જ રાખવા જોઈએ
સ્પેશિયલ

અંગત વિચારો અંગત જ રાખવા જોઈએ

April 15, 2021
204
બહેતર વિકલ્પ હોવાને કારણે ભારતને ઇજાગ્રસ્તોની સમસ્યા નડતી નથી
સ્પેશિયલ

બહેતર વિકલ્પ હોવાને કારણે ભારતને ઇજાગ્રસ્તોની સમસ્યા નડતી નથી

March 28, 2021
126
મમતાદીદીની ‘મધુર’ વાણીઃ “મોદી દુર્યોધન છે, દુશાસન છે”
સ્પેશિયલ

મમતાદીદીની ‘મધુર’ વાણીઃ “મોદી દુર્યોધન છે, દુશાસન છે”

March 24, 2021
434
એન્ટિલિયા, વિસ્ફોટક, 100 કરોડનું ‘પરમ’ સત્ય ક્યારેય બહાર નહીં આવે
સ્પેશિયલ

એન્ટિલિયા, વિસ્ફોટક, 100 કરોડનું ‘પરમ’ સત્ય ક્યારેય બહાર નહીં આવે

March 23, 2021
121
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ : ભારત કે ન્યૂઝીલેન્ડ માટે માર્ગ આસાન નથી
સ્પેશિયલ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ : ભારત કે ન્યૂઝીલેન્ડ માટે માર્ગ આસાન નથી

March 20, 2021
89
Next Post
Facebook-Twitterના માધ્યમથી કંપનીઓ સામે થતી ફરિયાદો ફરિયાદી માટે જ જોખમી

Facebook-Twitterના માધ્યમથી કંપનીઓ સામે થતી ફરિયાદો ફરિયાદી માટે જ જોખમી

આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજ અંતર્ગત MSC ( Organic Chemistry) કોર્સના Sem-2 ના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પરીક્ષામાં કૉલેજ કક્ષાએ ઝળક્યા…..
દક્ષિણ ગુજરાત

આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજ અંતર્ગત MSC ( Organic Chemistry) કોર્સના Sem-2 ના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પરીક્ષામાં કૉલેજ કક્ષાએ ઝળક્યા…..

by Editors
July 27, 2022
10
બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ
નેશનલ

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

by Editors
April 8, 2022
115
મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ
નેશનલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

by Editors
April 8, 2022
336
આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો
નેશનલ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

by Editors
April 8, 2022
439
અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી
નેશનલ

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

by Editors
April 8, 2022
549

આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના સાયન્સ કોલેજ અંતર્ગત MSC ( Organic Chemistry) કોર્સના Sem-2 ના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પરીક્ષામાં કૉલેજ કક્ષાએ ઝળક્યા…..

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

  • વાપીના હ્યુબરવાળા સુરેશ પટેલ તથા હરિયા પરિવારના તુષાર હરિયાનાં દિકરી-દિકરાનાં ગોવા ખાતે લગ્નમાં જઇ આવેલા વાપીનાં ૫૦ ઉદ્યોગપતિ, વેપારીઓ કોરોના સંક્રમિત થતાં હાહાકાર

    0 shares
    Share 0 Tweet 0
  • શેત્રુંજ્ય તીર્થ પર પુજાની વહીવટી તંત્રની મંજૂરી : ભારતભરનાં જૈન સંઘોએ મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીનો આભાર માન્યો

    0 shares
    Share 0 Tweet 0
  • ગુજરાતના આ વિસ્તારમાં વીજ કટોકટી, બપોર પછી વીજ કાપ માટે તૈયાર રહો

    0 shares
    Share 0 Tweet 0
  • વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રના કપરાડા તાલુકાના ગજેન્દ્રકુમાર બન્યા ડે. કલેક્ટર

    0 shares
    Share 0 Tweet 0
  • શોખીનો માટે સારાં સમાચાર, દ.ગુજરાતના આ ચાર ગામડાઓ કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બનશે

    0 shares
    Share 0 Tweet 0
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
361914
Your IP Address : 18.207.157.152
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link