Sunday, March 26, 2023
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home ગુજરાત

અમદાવાદમાં રથયાત્રા યોજાવા અંગે શું મળ્યા સંકેત, જાણો

by Editors
July 5, 2021
in ગુજરાત
Reading Time: 1min read
અમદાવાદમાં રથયાત્રા યોજાવા અંગે શું મળ્યા સંકેત, જાણો
26
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

અમદાવાદમાં રથયાત્રાનું અનેરૂં મહત્વ છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. જો કે ગયા વર્ષે કોરોનાને કારણે યાત્રા ફક્ત મંદિર પરિસરમાં જ યોજાઇ હતી, જ્યારે આ વર્ષે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી. વિશઅવ હિન્દુ પરિસદે રથયાત્રા યોજવા માટે હાકલ કરી છે. પરંતુ સરકારે કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં એ માટે સમજીને જવાબદારીપૂર્વક નિર્ણય કરવાનો હોય છે, તેને કારણે હજુ એ નિર્ણય થયો નથી. પરંતુ રથયાત્રા યોજાય એ પહેલાં મંદિર બહાર ગજરાજા જોવા મળતા હોય છે. આ વખતે પણ મંદિર બહાર ગજરાજા ભક્તોને આશીર્વાદ આપતા નજરે પડે છે, ત્યારે કોરોનાના કેસ ઘટતાં રથયાત્રા યોજાય એવી આશા ભક્તો રાખી રહ્યો છે.
ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા અંગે તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા પહેલાં લોકો મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવતા હોય છે. ગયા વર્ષે તો કોરોનાની પહેલી લહેર વખતે ઘણા નિયંત્રણો હતા, તેને કારણે લોકોની હાજરી ખાસ ન હતી. પરંતુ આ વખતે હવે જ્યારે નિયંત્રણો હળવા કરાયા છે, ત્યારે લોકો મંદિરે આવતા થયા છે. સાથે સાથે રથયાત્રાની તૈયારીના પ્રારંભે ગજરાજાનું આગમન મહત્વનું હોય છે. તેમનું આગમન થઇ ગયું છે. લોકો તેમના આશીર્વાદ લેતા નજરે પડી રહ્યા છે. એ સાથે જ રથયાત્રા યોજાશે એવી આશા જાગી છે. એમ કહેવાય છે કે રથયાત્રા યોજવા માટે ખાસ એક્સન પ્લાન બનાવાયો છે. એ એક્સન પ્લાનને મંજુરી પણ મળી ગઇ છે. જો કે આ વખતે પણ સામાન્ય સ્થિતિમાં રથયાત્રા યોજાતી એવું નહીં હોય, અખાડા અને ટ્રકને પરવાનગી મળશે કે કેમ એ આશંકા છે. સામાન્ય લોકો પણ દૂરથી જ દર્શન કરી શકે એવી સુવિધા કરાય એ બનવાજોગ છે.
રથયાત્રામાં હાથીઓ સૌ પહેલા મંદિરમાંથી બહાર નીકળે છે, એ બાદ ભગવાનનો રથ નીકળતો હોય છે. શહેરમાં ઘણા ખરા પ્રાણીઓ જોવા મળતા નથી. હાથીઓ પણ ભાગ્યે જ જોવા મળતા હોય છે. આ સંજોગોમાં રથયાત્રામાં જોવા મળતા હાથીઓ તમામ લોકોના આકર્ષણનું કેન્દ્ર મનાય છે. લોકો રથયાત્રા દરમ્યાન હાથીઓને ખાસ લાડ લડાવતા હોય છે. ફળ અને બીજું ભોજન પણ તેમને આપતા હોય છે. રથયાત્રામાં પંદર સોળ હાથીઓ જોડાતા હોય છે.
સામાન્ય રીતે આ હાથીઓ ગુજરાત બહારથી લાવવામાં આવતા હોય છે. તેમની સાથે તેમના મહાવત તથા બીજા સહાયકો પણ આવતા હોય છે. હાથીઓ સાથે મહાવતો આવી ગયા છે, ત્યારે એવી આશા જાગે છે કે રથયાત્રા નીકળશે. સરકારની સત્તાવાર જાહેરાત હજુ થઇ નથી, ત્યારે તેની રાહ જોવાઇ રહી છે. બીજી તરફ રથયાત્રા કાઢવા માટે તમામ તૈયારીઓ શરૂ થઇ રહી છે. અષાઢી બીજે રથયાત્રા નીકળતી હોય છે.

ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

કોવિડનો ફરી ફફડાટ, UAEના નાગરિકોને ભારત સહિત 14 દેશોની યાત્રા પર રોક

Next Post

ખેડૂત આંદોલન હવે સંસદના ઘેરાવથી વધુ જલદ બનવાના એંધાણ

Related Posts

મોરબી હોનારત અંગે ગુજરાત સરકારે દોષનો ટોપલો ખાનગી કંપની પર ઢોળ્યો, કોર્ટે ઉઠાવ્યા આ પ્રશ્નો
ગુજરાત

મોરબી હોનારત અંગે ગુજરાત સરકારે દોષનો ટોપલો ખાનગી કંપની પર ઢોળ્યો, કોર્ટે ઉઠાવ્યા આ પ્રશ્નો

November 17, 2022
6
89 બેઠકો પર ભાજપ કરશે બોમ્બિંગ કેમ્પેન, મોદી સહિતના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં
ગુજરાત

89 બેઠકો પર ભાજપ કરશે બોમ્બિંગ કેમ્પેન, મોદી સહિતના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં

November 17, 2022
7
મોરબી દૂર્ધટનાને લઇને હર્ષ સંઘવીએ દાખવી સંવેદનશીલતા, ડીજે કે બેન્ડ વિના રેલી કાઢી ઉમેદવારી નોંધાવી
ગુજરાત

મોરબી દૂર્ધટનાને લઇને હર્ષ સંઘવીએ દાખવી સંવેદનશીલતા, ડીજે કે બેન્ડ વિના રેલી કાઢી ઉમેદવારી નોંધાવી

November 14, 2022
14
ઓવૈસીની સુરત રેલીમાં મુસ્લિમ યુવાનોએ લગાવ્યા મોદી મોદીના નારા, ઓવૈસી જોતા રહ્યા
ગુજરાત

ઓવૈસીની સુરત રેલીમાં મુસ્લિમ યુવાનોએ લગાવ્યા મોદી મોદીના નારા, ઓવૈસી જોતા રહ્યા

November 14, 2022
1.3k
જામનગર બેઠક બનશે રસપ્રદ, રિવાબા જાડેજા સામે કોંગ્રેસ રવિન્દ્ર જાડેજાની બહેનને આપી શકે છે ટિકિટ
ગુજરાત

જામનગર બેઠક બનશે રસપ્રદ, રિવાબા જાડેજા સામે કોંગ્રેસ રવિન્દ્ર જાડેજાની બહેનને આપી શકે છે ટિકિટ

November 12, 2022
26
અમદાવાદના આ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલવા કોંગ્રેસ આપ્યું પ્રજાને વચન, જાણો કોંગ્રેસે બીજા ક્યા કર્યા વાયદાઓ
ગુજરાત

અમદાવાદના આ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલવા કોંગ્રેસ આપ્યું પ્રજાને વચન, જાણો કોંગ્રેસે બીજા ક્યા કર્યા વાયદાઓ

November 12, 2022
8
Next Post
દિલ્હીના રસ્તાઓ પર કેવી રીતે મચ્યું તોફાન, આ વીડિયો જોઈને તમે જાણી જશો

ખેડૂત આંદોલન હવે સંસદના ઘેરાવથી વધુ જલદ બનવાના એંધાણ

Recent Posts

  • ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
  • આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI
  • આલિયા ભટ્ટ, બિપાશા બાસુ પછી આ પ્રેગ્નન્ટ એક્ટ્રેસે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ !
  • IND vs NZ Head To Head: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિરાટ-રોહિત જેવા દિગ્ગજ ખેલાડી ટીમની બહાર
  • અજય દેવગનની ‘દ્રશ્યમ 2’ એ રિલીઝ પહેલા જ બનાવ્યો રેકોર્ડ, આટલા કરોડનું એડવાન્સ બુકિંગ!
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
379954
Your IP Address : 3.236.241.39
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link