હવામાન વિભાગે આગામી સપ્તાહમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી કરી છે. ગતરોજ સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી રાજ્યના 8 જિલ્લાની 12 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં નવસારી તાલુકામાં 13 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 350.33 વરસાદ થયો છે. જે છેલ્લા 30 વર્ષની 840 મીમીની રાજ્ય સરેરાશની સરખામણીમાં 41.71 ટકા છે. રાહત કમિશનર અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અધિક સચિવના નેતૃત્વમાં વેધર વોચ ગ્રુપની વીડિયો કોન્ફરન્સ દરમિયાન હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની સંભાવના ઓછી છે. જોકે, આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે.
કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર, 23 ઓગસ્ટ, 2021 સુધી રાજ્યમાં લગભગ 80.06 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 80.64 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે આ વર્ષે 93.59 ટકા વાવેતર વાવેતર થયું છે. બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીએ માહિતી આપી હતી કે હાલમાં સરદાર સરોવર જળાશયમાં 152544 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જે કુલ સંગ્રહ ક્ષમતાના 45.66 ટકા છે.
રાજ્યના 206 જળાશયોમાં 282489 mcft પાણી છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 50.68 ટકા છે. હાલ રાજ્યમાં 7 ડેમ હાઈ એલર્ટ પર છે. 7 જળાશયો ચેતવણી પર છે. એનડીઆરએફની કુલ 15 ટીમોમાંથી 8 ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમાં વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ અને મોરબીમાં એક -એક ટીમ તૈનાત કરવામાં આવી છે. વડોદરામાં 6 અને ગાંધીનગરમાં 6 ટીમો અનામત રાખવામાં આવી છે.