ગુજરાતમાં ગયાં વર્ષે કોરોનાને કારણે ગરબા સહિતના કાર્યક્ર્મોનું આયોજન કરી શકાયું ન હતું શક્યું ન હતું પરંતુ આ વર્ષે ગુજરાત સરકારે નવરાત્રિના દિવસો દરમિયાન રાસ ગરબાના કાર્યક્રમોને મંજૂરી આપવા માટેની તૈયારી કરી છે. બુધવારે મળેલી ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં સરકારે ગાયક કલાકારોનું વૃંદ, બેન્ડબાજા અને ડીજેના કલાકારો જાહેર કાર્યક્રમો યોજી શકશે તેવી છૂટ આપતો નિર્ણય કરીને લોકોને મોટી રાહત આપી છે, જો કે સરકારે કેટલીક શરતો સાથે આ કાર્યક્રમો કરવા છૂટ આપી છે. આ કાર્યક્રમો માત્ર 400 વ્યક્તિઓની હાજરીમાં યોજી શકાશે. એટલે કે આગામી સમયમાં આવી રહેલાં ગણેશોત્સવ અને નવરાત્રિના કાર્યક્રમો યોજવા માટે સરકારે મંજૂરી આપી દીધી છે. આ અંગે ગૃહવિભાગે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે. ખુલ્લામાં યોજાતાં કાર્યક્રમોમાં 400 લોકો તથા બંધ હોલમાં યોજાતાં કાર્યક્રમમાં ક્ષમતાના પચાસ ટકા અને મહત્તમ 400 વ્યક્તિઓની હાજરીમાં આ કાર્યક્રમો યોજવા માટે સરકારે મંજૂરી આપી દીધી છે.
આ પરિપત્રને કારણે આપોઆપ જ ગણેશોત્સવ તથા નવરાત્રિના કાર્યક્રમોને સરકાર તરફથી પરવાનગી મળી ગઇ ગણાશે. રહેણાંક વિસ્તારોમાં થતા શેરી ગરબાં ઉપરાંત કોમર્શિયલ ગરબા આયોજનને પણ પરવાનગી મળી શકવાની સંભાવના છે. આ ઉપરાંત જ્યાં માતાજીના જાગરણ, પૂજા-આરતી-દર્શન અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ છે તેને પણ આંશિક મંજૂરી મળી ગઇ છે. સાર્વજનિક ગણેશોત્સવને પણ મંજૂરી મળી ગઇ છે. આ અગાઉ રાજ્ય સરકારે ગણેશોત્સવ સંદર્ભની ગાઇડલાઇનમાં ગણપતિ દર્શન, પૂજન, આરતી અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજવાની જ મંજૂરી આપી હતી. પરંતુ હવે આ નવી ગાઇડલાઇન્સ અનુસાર ગણેશોત્સવના કાર્યક્રમો યોજાતાં હોય ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે.
ગણેશ સ્થાપન અને વિસર્જન સમયે માત્ર 15 વ્યક્તિ સાથેના વરઘોડાની મંજૂરી આપવામાં આવી છે. તેનું કારણ એ છે કે જો તેમાં વધુ વ્યક્તિઓને પરવાનગી અપાય તો વિસર્જનના સ્થળે અલગ-અલગ સાર્વજનિક ગણેશ મહોત્સવમાંથી એક જ સ્થળે હજારોની સંખ્યામાં મેદની ભીડ થઇ જાય અને ભીડ નિયંત્રિત થઇ ન શકે અને તેને લીધે કેન્દ્ર સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન થવાની સંભાવના રહેશે. ગાયક કલાકારોનું વૃંદ, બેન્ડબાજા અને ડીજેના કલાકારો 400 લોકોની મર્યાદા સાથે જાહેર કાર્યક્રમો યોજી શકશે. માતાજીના જાગરણ, પૂજા-આરતી-દર્શન અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ છે તે નિર્ધારીત મર્યાદા સાથે થઇ શકશે. ગુજરાત સરકારે ધો.6થી ઉપરના વર્ગોમાં ઓફલાઇન અધ્યાપન કાર્ય શરૂ કરવા આદેશ આપ્યો છે. ધો.1થી 5ના વર્ગોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માટે સરકારનું હાલ કોઇ આયોજન નથી.તી જરૂરી તૈયારીનો સમય મળી રહેશે