Sunday, March 26, 2023
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home ઓફબીટ

સુધારો નહીં થાય તો ભારત સહિત સમગ્ર દુનિયાને માથે આવશે આ સંકટ

by Editors
March 24, 2021
in ઓફબીટ
Reading Time: 1min read
સુધારો નહીં થાય તો ભારત સહિત સમગ્ર દુનિયાને માથે આવશે આ સંકટ
55
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

તમામ સજીવોના જીવનની મૂળભૂત જરૂરિયાતમાં પાણી મહત્વની બાબત છે. પરંતુ દેશ અને દુનિયામાં થઈ રહેલા વસ્તી વધારા સાથે પાણીના વપરાશ બાબતે દાખવાતી બેદરકારી કદાચ આવનારી પેઢી માટે મોટી સમસ્યાનું નિર્માણ કરી શકે છે. દુનિયામાં અત્યારે ર૦૦ કરોડથી વધુ લોકો પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છતા જેવી પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત છે. યુનોમાં ૨૦૧૦માં પસાર થયેલા પ્રસ્તાવમાં પીવાના સ્વચ્છ અને સુરક્ષિત પાણીને માનવઅધિકારનો દરજ્જો અપાયો હતો. આ સાથે જ ૨૦૩૦ સુધી દુનિયાના તમામ લોકોને સ્વચ્છ પાણી પુરુ પાડવાની દીશામા તમામ દેશ સાથે મળીને કામ કરશે તેવુ ઠરાવાયું હતુ. પરંતુ યુનોના આ ઠરાવ પછી ૧૫ વર્ષોમાં દુનિયામાં કોઈપણ દેશે આ બાબતને ગંભીરતાથી લીધી નથી તેવું સ્પષ્ટ જણાય છે. પરિણામે ૨૧૦ કરોડ લોકો આજે પણ પીવાના શુદ્ધ પાણીથી વંચિત છે. જો આ જ સ્થિતિ રહી તો યુનો વોટર એન્ડ ઈન્ટરનેશનલ ફન્ડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટના રિપોર્ટમાં વ્યક્ત કરાયેલી દહેશત સાચી પડશે.
દુનિયામાં પર્યાવરણમાં પ્રદૂષણ અને જળ સંશાધનો પર દબાણને જોતાં ૨૦૫૦ સુધી દુનિયામાં ૪૫ ટકા ઘરેલુ ઉત્પાદન પર અને ૪૦ ટકા ખાદ્યાન્ન પર ખતરો છે. એટલે દુનિયામાં ગરીબો વધુ ગરીબ બનશે. બીજી તરફ ભારતમાં પણ સ્થિતિ બગડે તેવો ચોક્કસ વર્તારો છે. દેશમાં ખૂબ જ ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું હોવાથી પાણીની જરૂરિયાત માટે ગામડામાં ઉપલબ્ધ પાણીના સ્ત્રોત પર આધાર વધી જશે. પરિણામે દેશના ગામડાઓ અને શહેર વચ્ચે પાણીને મુદ્દે મોટો વિવાદ થઈ શકે છે. ૨૦૦૧ સુધી કુલ વસતીના ૨૮ ટકા લોકો શહેરમાં રહેતા હતાં. પરંતુ ત્યારબાદ ૧૦ વર્ષમાં એટલે કે ૨૦૦૧ થી ૨૦૧૧ સુધીમાં દેશની કુલ વસતીના 30 ટકા લોકો શહેરો તરફ વળ્યા છે.
આવા સંજોગોમાં ૨૦૩૦ સુધી દેશની કુલ વસતીના ૪૦ ટકા લોકો શહેરોમાં રહેવા માટે આવી જાય તેવી શકયતા છે. ૨૦૩૦ સુધી જો દેશમાં ૬૦ કરોડ લોકો શહેરો રહેતા થઈ જાય તો તેઓ માટે પાણીની વ્યવસ્થા શું હશે તે કહેવું મુશ્કેલ છે. સરકાર કે તંત્ર પાસે હાલ આ બાબતે કોઈ આયોજન નથી. કેન્દ્રિય જલશક્તિ વિભાગે સંસદમાં આપેલી જાણકારી એવી છે કે, ૨૦૦૧માં દેશમાં દરેક વ્યક્તિ માટે પાણીની ઉપલબ્ધિ ૧૮૧૬ ઘનમીટર હતી. જે હવે ઘટીને ૨૦૨૧માં ૧૪૮૬ ઘનમીટર થઈ ગઈ છે. આગામી ૧૦ વર્ષમાં તે ઘટીને ૧૩૬૭ ઘન મીટર થઈ શકે છે. આ આંકડા ચિંતાજનક છે. પાણીની ઉપલબ્ધિ ઓછી થઈ રહી છે તેથી પાણી મેળવવા માટે લોકોએ વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાશે તે નિશ્ચિત છે. ૨૦૧૯ના સેન્ટ્રલ વોટર કમિશનના અહેવાલમાં નોંધવામાં આવ્યું હતુ કે, દેશ જળસંકટમાંથી પસાર થઈ રહ્યો છે. ભૂમિગત પાણીનું જે રીતે દોહન થઈ રહ્યુ છે તે જોતાં ભૂમિગત પાણીમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલ ર કરોડ કૂવાઓ પર મોટર મુકીને પાણી ઉલેચવામાં કોઈ ધારાધોરણ નથી. કેટલાક રાજ્યોમાં સરકાર દ્વારા મફત વિજળી અપાતા પાણીનો બગાડ પણ મોટાપાયે થઈ રહ્યો છે. દર વર્ષે ભૂમિગત પાણીનું પ્રમાણ ૦.૪ મીટર ઘટી રહ્યુ છે. બીજી તરફ સમુદ્રની નજીકના વિસ્તારોમાં ખારાશનું પ્રમાણ વધી રહ્યું છે. તેથી પાણીનું વ્યવસ્થાપન ન થાય, તેમજ બગાડ અને પાણીનું પ્રદૂષણ નહીં અટકે તો આવનારા દિવસોમાં દુનિયા અને દેશમાં મોટુ જળસંકટ નિશ્ચિતપણે સર્જાઈ શકે છે.

ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

Samsung સ્માર્ટફોનના બે મોડલ ભારતમાં થયા લોન્ચ

Next Post

વેક્સીન લેવાથી કાયમ માટે કોરોનાથી બચી શકાય ખરું ? જાણો શું કહે છે એક્સપર્ટ

Related Posts

આજે દુનિયાની વસ્તી 800 કરોડને પાર કરી જશે, આ વર્ષે ભારત ચીનથી નીકળશે આગળ
ઓફબીટ

આજે દુનિયાની વસ્તી 800 કરોડને પાર કરી જશે, આ વર્ષે ભારત ચીનથી નીકળશે આગળ

November 15, 2022
154
આ શેરમાં રોકાણ કરીને રાકેશ ઝુનઝુનવાલા બન્યા અમીર, જાણો કેવી રીતે તૈયાર કર્યો તેમનો પોર્ટફોલિયો?
ઓફબીટ

આ શેરમાં રોકાણ કરીને રાકેશ ઝુનઝુનવાલા બન્યા અમીર, જાણો કેવી રીતે તૈયાર કર્યો તેમનો પોર્ટફોલિયો?

November 14, 2022
14
યુટ્યુબ પર આવેલી એક કોમેન્ટને લીધે કિશોર તેના પરિવારને ફરી મળ્યો, જાણો શું છે મામલો
ઓફબીટ

યુટ્યુબ પર આવેલી એક કોમેન્ટને લીધે કિશોર તેના પરિવારને ફરી મળ્યો, જાણો શું છે મામલો

November 8, 2022
17
અનુભવી રોકાણકારે કંપનીના 11.5 લાખ શેર ખરીદ્યા, શેર રોકેટ બની ગયો, કિંમત ₹322 થી વધી ગઈ
ઓફબીટ

અનુભવી રોકાણકારે કંપનીના 11.5 લાખ શેર ખરીદ્યા, શેર રોકેટ બની ગયો, કિંમત ₹322 થી વધી ગઈ

October 17, 2022
4
કેન્દ્રીય કર્મચારીઓને લ્હાણી! મોંઘવારી ભથ્થામાં વધારાને લઇને સરકારે નોટિફિકેશન જારી કર્યું
ઓફબીટ

કેન્દ્રીય કર્મચારીઓને લ્હાણી! મોંઘવારી ભથ્થામાં વધારાને લઇને સરકારે નોટિફિકેશન જારી કર્યું

October 10, 2022
7
તહેવારો પહેલા કેન્દ્રની ભેટ, DAમાં ચાર %નો વધારો, 3 મહિના માટે મફત રાશનની યોજના પણ વધી
ઓફબીટ

તહેવારો પહેલા કેન્દ્રની ભેટ, DAમાં ચાર %નો વધારો, 3 મહિના માટે મફત રાશનની યોજના પણ વધી

September 28, 2022
8
Next Post
વેક્સીન લેવાથી કાયમ માટે કોરોનાથી બચી શકાય ખરું ? જાણો શું કહે છે એક્સપર્ટ

વેક્સીન લેવાથી કાયમ માટે કોરોનાથી બચી શકાય ખરું ? જાણો શું કહે છે એક્સપર્ટ

Recent Posts

  • ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
  • આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI
  • આલિયા ભટ્ટ, બિપાશા બાસુ પછી આ પ્રેગ્નન્ટ એક્ટ્રેસે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ !
  • IND vs NZ Head To Head: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિરાટ-રોહિત જેવા દિગ્ગજ ખેલાડી ટીમની બહાર
  • અજય દેવગનની ‘દ્રશ્યમ 2’ એ રિલીઝ પહેલા જ બનાવ્યો રેકોર્ડ, આટલા કરોડનું એડવાન્સ બુકિંગ!
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
379949
Your IP Address : 3.236.241.39
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link