Sunday, March 26, 2023
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home નેશનલ

યુપીમાં ભેજાબાજોએ ભગવાનને મૃત બતાવી ટ્રસ્ટની જમીન હડપી

by Editors
February 19, 2021
in નેશનલ
Reading Time: 1min read
યુપીમાં ભેજાબાજોએ ભગવાનને મૃત બતાવી ટ્રસ્ટની જમીન હડપી
30
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

ઉત્તર પ્રદેશના લખનૌમાં છળકપટનો એક એવો કિસ્સો બહાર આવ્યો છે કે જેનાથી સૌકોઈ દંગ રહી જાય તેમ છે. અહીં જમીન હડપવા માટે ભગવાનને જ મૃત જાહેર કરી દેવાયા સાથે એક બોગસ પિતા પણ બની જઈ ઠગાઈ કરાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. લખનૌમાં આવેલા મંદિરના ટ્રસ્ટીએ વર્ષ 2016માં તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી કે, ટ્રસ્ટની જમીન પચાવવા માટે કોઈ પેરવી કરી રહ્યું છે. જો કે, તે પછી કોઈ કાર્યવાહી નહીં થતાં મંદિરના ટ્રસ્ટીઓ વર્ષ 2018માં ઉત્તર પ્રદેશના ડેપ્યૂટી સીએમ દિનેશ શર્માને રુબરુમાં મળ્યા હતા. આ સમયે મંત્રી સમક્ષ મંદિરના ટ્રસ્ટીઓઓએ તેમના ટ્રસ્ટની મિલકત હડપવા માટે કોઈ પ્રયાસો કરી રહ્યાની વાત કહી હતી. ટ્રસ્ટીઓની વાત સાંભળ્યા બાદ ડેપ્યુટી સીએમ દિનેશ શર્માએ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો હતો. સાથે જ તપાસના આદેશ લખનૌના ડીએમને આપ્યા હતા.
યુપીના મોહનલાલગંજના કુશમૌરા હલુવાપુરની ઘટનામાં કાયદાકીય કાગળો પર એક સામાન્ય વ્યક્તિને ભગવાન કૃષ્ણ-રામના બનાવટી પિતા બનાવી દેવાયા હતા. ત્યારબાદ કૃષ્ણ-રામનું મૃત્યુ થઈ ગયાનું ચોપડે નોંધાવાયું હતુ. એટલે કાયદાકીય રીતે ટ્રસ્ટની જમીન કે જે કૃષ્ણ અને રામને નામે નોંધાયેલી હતી, તેના હકદાર મૃતકના પિતાને ગણવામાં આવે. મળતી વિગતો મુજબ જમીન એકત્રીકરણ દરમિયાન, મંદિરના દેવ-દેવો, જેમના નામે જમીન હતી, તે જ નામવાળા દસ્તાવેજોમાં માણસ તરીકે નામ નોંધી દેવાયા હતા. જે બાદ ટ્રસ્ટની જમીનને લઈને વિવાદ સર્જાયો હતો. ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું હતુ કે, મોહનલાલગંજમાં જમીન રેકોર્ડ નંબર 138, 159 અને 2161, ભગવાન કૃષ્ણરામના નામે કુલ 0.730 હેક્ટર વિસ્તાર છે. 1987માં એકત્રીકરણ પ્રક્રિયા દરમિયાન, કૃષ્ણારામને મૃત બતાવવામાં આવ્યા હતા અને તેમના બનાવટી પિતા ગયા પ્રસાદને વારસદાર તરીકે ગણાવાયા હતા.
ત્યારબાદ 1991માં ગયાપ્રસાદને પણ મૃત બતાવી દેવાયા હતા. આ સાથે જ તેમના ભાઈઓ રામનાથ અને હરિદ્વારના નામ ખોટી રીતે નોંધાયા હતા. આ છેતરપિંડીના આધારે જમીન હડપી લેવામાં આવી હતી. ભગવાનને પહેલા મૃતક જાહેર કરવામાં આવ્યા અને પછી કાગળ બતાવીને મંદિરની જમીન હડપી લેવામાં આવી હતી. જો કે, યુપીના તત્કાલીન ઉપમુખ્ય મંત્રીએ કરેલા તપાસના આદેશ બાદ તંત્ર દ્વારા તપાસ થઈ હતી. કેસની તપાસ થતાં જ આખો ભાંડો ફુટી ગયો હતો. મંદિરની જમીન ભગવાન કૃષ્ણ અને રામના નામ પર બની હતી. આ મંદિર 100 વર્ષ જૂનું છે. પરંતુ ભેજાબાજોએ તો ભગવાનને સરકારી ચોપડે માણસ તરીકેની ઓળખ આપવામાં આવી હતી. કેટલાક લોકોએ હેરફેર કરીને એ જ નામથી કોઈ વ્યક્તિની દસ્તાવેજોમાં નોંધણી કરાવી હોવાનું બહાર આવતા જ તંત્રએ આ મામલે સરકારને અહેવાલ આપ્યો હતો.

ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

સત્યનો વિજય : નવસારી બહુચર્ચિત મર્ડર કેસમાં સપ્તાહિકના તંત્રી ત્રણ વર્ષ બાદ નિર્દોષ : તપાસ અધિકારી સામે કાર્યવાહી કરવા કોર્ટે આપ્યો આદેશ

Next Post

ઇન્ડોનેશિયામાં મહિલાનો આશ્ચર્યજનક દાવો, આ રીતે ગર્ભ રહ્યા બાદ બાળકીનો જન્મ થયો

Related Posts

ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
નેશનલ

ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું

November 18, 2022
13
આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI
નેશનલ

આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI

November 18, 2022
8
જ્ઞાનવાપી મસ્જિદ કેદમાં મુસ્લિમ પક્ષકારોને આંચકો, કેસને ફગાવી દેવાની અરજી કોર્ટે નકારી
નેશનલ

જ્ઞાનવાપી મસ્જિદ કેદમાં મુસ્લિમ પક્ષકારોને આંચકો, કેસને ફગાવી દેવાની અરજી કોર્ટે નકારી

November 17, 2022
8
ત્રણ હેન્ડ ગ્રેનેડ અને એક લાખ ભારતીય ચલણ સાથે બે આતંકવાદીઓની ધરપકડ : પઠાણકોટથી અમૃતસર આવી રહ્યા હતા
નેશનલ

ત્રણ હેન્ડ ગ્રેનેડ અને એક લાખ ભારતીય ચલણ સાથે બે આતંકવાદીઓની ધરપકડ : પઠાણકોટથી અમૃતસર આવી રહ્યા હતા

November 17, 2022
9
ભાજપ નેતાના ગેસ્ટ હાઉસમાં ચાલી રહ્યો હતો દેહવેપાર, નગરપાલિકાનો પૂર્વ અધ્યક્ષ ફરાર
નેશનલ

ભાજપ નેતાના ગેસ્ટ હાઉસમાં ચાલી રહ્યો હતો દેહવેપાર, નગરપાલિકાનો પૂર્વ અધ્યક્ષ ફરાર

November 17, 2022
6
કાલ ભૈરવ જયંતિ: આ મંદિરમાં પ્રસાદરૂપે ચઢાવાય છે દારૂ, ભક્તોની સામે ભગવાન કરે છે સેવન
નેશનલ

કાલ ભૈરવ જયંતિ: આ મંદિરમાં પ્રસાદરૂપે ચઢાવાય છે દારૂ, ભક્તોની સામે ભગવાન કરે છે સેવન

November 15, 2022
9
Next Post
ઇન્ડોનેશિયામાં મહિલાનો આશ્ચર્યજનક દાવો, આ રીતે ગર્ભ રહ્યા બાદ બાળકીનો જન્મ થયો

ઇન્ડોનેશિયામાં મહિલાનો આશ્ચર્યજનક દાવો, આ રીતે ગર્ભ રહ્યા બાદ બાળકીનો જન્મ થયો

Recent Posts

  • ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
  • આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI
  • આલિયા ભટ્ટ, બિપાશા બાસુ પછી આ પ્રેગ્નન્ટ એક્ટ્રેસે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ !
  • IND vs NZ Head To Head: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિરાટ-રોહિત જેવા દિગ્ગજ ખેલાડી ટીમની બહાર
  • અજય દેવગનની ‘દ્રશ્યમ 2’ એ રિલીઝ પહેલા જ બનાવ્યો રેકોર્ડ, આટલા કરોડનું એડવાન્સ બુકિંગ!
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
379949
Your IP Address : 3.236.241.39
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link