• Mon. Mar 17th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

અંબાણી અને અદાણી કરતા આ ભારતીય ઉદ્યોગપતિ સૌથી મોટા દાનવીર, એક વર્ષમાં 2153 કરોડ રૂપિયા દાન કર્યા

HCL ટેક્નોલોજીના શિવ નાદારે તમામ અમીરોને દાનમાં પાછળ છોડી દીધા છે. નાદારે નાણાકીય વર્ષ 2023-24માં 2,153 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. આ એક વર્ષ પહેલા કરતાં પાંચ ટકા વધુ છે. Edelgive-Hurun India અનુસાર, રિલાયન્સના વડા મુકેશ અંબાણી રૂ. 407 કરોડ સાથે બીજા સ્થાને છે અને અદાણી જૂથના ગૌતમ અદાણી રૂ. 330 કરોડ સાથે પાંચમા સ્થાને છે.

યાદી અનુસાર, અદાણી, અંબાણી, બિરલા સહિતના ઘણા અબજોપતિઓની કુલ રકમ ઉમેરીએ તો પણ નાદરની દાનની રકમ તે બધા કરતાં વધુ છે. ઓટોમોટિવ અને ફાઇનાન્સ સેક્ટરના બિઝનેસમેન બજાજ પરિવારે 352 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે, જે વાર્ષિક ધોરણે 33 ટકાનો વધારો છે. આ કુટુંબ ત્રીજા ક્રમે હતું. કુમારમંગલમ બિરલા અને તેમનો પરિવાર 334 કરોડ રૂપિયાના દાન સાથે ચોથા ક્રમે છે.

હુરુનની યાદી અનુસાર, 203 વ્યક્તિઓ એવા હતા જેમણે 5 કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું છે. 1,539 લોકોની કુલ સંપત્તિ 1,000 કરોડ રૂપિયાથી વધુ હતી. તેમની કુલ સંપત્તિમાં 46 ટકાનો વધારો થયો છે. 3.14 લાખ કરોડની સંપત્તિ સાથે નાદર શ્રીમંતોની યાદીમાં ત્રીજા ક્રમે છે. જ્યારે અદાણીની સંપત્તિ 11.6 લાખ કરોડ રૂપિયા અને અંબાણીની સંપત્તિ 10.14 લાખ કરોડ રૂપિયા છે.

શિવ નાદર અને પરિવાર 2,153 કરોડ, મુકેશ અંબાણી અને પરિવાર 407, બજાજ પરિવાર 352, કુમાર મંગલમ બિરલા અને પરિવાર 334, ગૌતમ અદાણી અને પરિવાર 330, નંદન નીલેકણી અને પરિવાર 307, ક્રિષ્ના ચિવુકુલા 228, અનિલ અગ્રવાલ અને પરિવાર 181, સુષ્મી અને સુષ્મી 79. રોહિણી નિલેકણીએ 154 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.