Wednesday, May 25, 2022
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home સ્પેશિયલ

મમતાદીદીની ‘મધુર’ વાણીઃ “મોદી દુર્યોધન છે, દુશાસન છે”

by Editors
March 24, 2021
in સ્પેશિયલ
Reading Time: 2min read
મમતાદીદીની ‘મધુર’ વાણીઃ “મોદી દુર્યોધન છે, દુશાસન છે”
415
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

“નરેન્દ્ર મોદી દુર્યોધન છે…” આ મધુર વિધાન પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીનું છે.

“દીદી પાસે દસ વર્ષની કામગીરીનો હિસાબ માગો તો દંડા પડે, બોંબ ફેંકાય, ઘર સળગાવી દેવામાં આવે…” આ આક્ષેપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે.

પાંચ વિધાનસભા ચૂંટણીની વચ્ચે છેલ્લા એક અઠવાડિયામાં બે રાજ્યમાં રાજકીય વાતાવરણ અતિશય ગરમ થઈ ગયું છે. એક તરફ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસે વિસ્ફોટકો ભરેલી કાર મૂકવાના કેસમાં પકડાયેલો આસિસ્ટન્ટ પોલીસ અધિકારી સચિન વઝે રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખનો વસુલી એજન્ટ હતો એવા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના આક્ષેપથી મહારાષ્ટ્રમાં રાજકીય પારો ચરમસીમાએ છે. તો બીજી તરફ, દિલ્હીમાં ચૂંટાયેલી સરકારની પાંખો કાપવા કેન્દ્ર સરકારે તૈયારી કરી લીધી છે અને આ અંગેનો ખરડો લોકસભામાં પસાર થઈ ગયો છે, રાજ્યસભામાં હવે રજૂ થશે. કેન્દ્ર સરકારના આ પગલાથી દિલ્હી ચૂંટાયેલી સરકારે કોઇપણ મોટા નિર્ણય લેતા પહેલાં ઉપરાજ્યપાલની મંજૂરી લેવી પડશે. મોદી સરકારના આ નિર્ણયથી આમ આદમી પાર્ટીની સરકાર છંછેડાઈ ગઈ છે અને આ મુદ્દે હાલ રાજકીયની સાથે સાથે અદાલતમાં કાનૂની લડાઈ પણ શરૂ થઈ ગઈ છે.

ADVERTISEMENT

ખેર, આ બંને રાજ્યમાં જ્યારે જે કંઈ ડેપલપમેન્ટ થશે ત્યારે આપણે અહીં તેની ચીરફાડ અર્થાત પોસ્ટમોર્ટમ કરીશું, પણ હાલ તો પાંચ વિધાનસભા અને તેમાંય ખાસ કરીને પશ્ચિમ બંગાળ વિશે આપણે ગયા અઠવાડિયાથી {ગયા અઠવાડિયાના લેખની લિંક આ રહી > https://dgvartman.com/what-do-you-think-of-the-five-states-will-it-win-or-will-it-be-tough/ } જે વિગતવાર ચર્ચા કરી રહ્યા છીએ તેને આગળ વધારીએ. 294 વિધાનસભા બેઠકો ધરાવતું પશ્ચિમ બંગાળ રાજકીય દૃષ્ટિએ એ રીતે મહત્ત્વનું છે કે એ રાજ્યમાં જે પક્ષને બહુમતી મળે તેને રાજ્યસભામાં બેઠકોનો લાભ થાય. પણ મમતા બેનરજી માટે આમ એક રીતે હાલ એ ગૌણ મુદ્દો છે.

મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળની તેમની સત્તા ટકાવી રાખવાને જાણે પ્રતિષ્ઠાનો મુદ્દો – જીવનમરણનો મુદ્દો બનાવી દીધો હોય એવું લાગે છે. અને એટલે જ મમતાદીદી પગની ઈજાના ડ્રામાથી અટક્યા નથી. તેમણે હવે ભાજપના નેતાઓને, ખાસ કરીને નરેન્દ્ર મોદી તથા અમિત શાહને રીતસર ગાળો દેવાનું શરૂ કર્યું છે. મુખ્યપ્રધાન મમતા બેનરજી ચૂંટણીની જાહેરસભાઓમાં મોદી-શાહને દુર્યોધન, દુશાસન, રાવણ જેવા તમામ પ્રકારના વિશેષણોથી સંબોધીને પોતાની મુખ્ય મતબેંક, અર્થાત બાંગ્લાદેશી ઘૂસણખોરો સહિતના મુસ્લિમોને ખુશ રાખવા પ્રયત્ન કરી રહ્યા છે. મુખ્યપ્રધાન બેનરજી આટલેથી અટક્યા નથી. તેમને ખ્યાલ આવી ગયો છે કે, ભાજપ આ વખતે તેમને હંફાવી શકે તેમ છે અને એટલે જ મમતા બેનરજી ભાજપને રાજ્ય બહારનો-આયાતી પક્ષ ઓળખાવવા પણ મથી રહ્યા છે. આવી રાજકીય ચાલબાજીના ભાગરૂપે મમતાદીદીએ રાજ્યની પ્રજાના મનમાં એક વાક્ય ઘૂસાડી દીધું છે કે, પશ્ચિમ બંગાળ એ ગુજરાત નથી અને તેથી અહીં ગુજરાતીઓને અર્થાત નરેન્દ્ર મોદી-અમિત શાહને જીતવા નહીં દઇએ.

સામાન્ય ગરીબ બંગાળીઓ, જેઓ એકાદ ધોતી-સાડી અથવા 200-500 રૂપિયાની લાલચ રાખતા હોય તેમના મનમાં આ વાત બરાબર બેસી ગઈ છે અને તેથી આવા બંગાળીઓ ખુલ્લેઆમ ભાજપને બહારનો પક્ષ ગણાવે છે. મમતા બેનરજીના આ દાવપેચનો નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે એમ કહીને જવાબ આપ્યો કે, ભાજપ તો જનસંઘમાંથી રૂપાંતરિત થયેલો પક્ષ છે અને જનસંઘની સ્થાપના તો પશ્ચિમ બંગાળના જ ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી તથા અન્ય બંગાળી નેતાઓએ કરી હતી. મોદીની આ દલીલ ગરીબ બંગાળીઓ તથા મુસ્લિમોને ગળે ઉતરશે કે નહીં એ તો બીજી મેએ પરિણામના દિવસે ખબર પડશે. પરંતુ આ દરમિયાન અન્ય વિભાજનકારી વાતો પણ પશ્ચિમ બંગાળના રાજકારણ ઉપર હાવી થઈ રહી છે.

જે દિવસે ભાજપે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો તે દિવસે મમતા બેનરજીના પક્ષ ટીએમસીના સાંસદ ડેરેક ઓબ્રાયને એવો કૂપ્રચાર શરૂ કરી દીધો કે, ચૂંટણી ઢંઢેરો જાહેર કરનાર એક ગુજરાતી છે (ઢંઢેરો અમિત શાહે જારી કર્યો હતો), તેની બાજુમાં જે નેતા બેઠા છે તે મધ્યપ્રદેશના છે (અમિત શાહની બાજુમાં કૈલાશ વિજયવર્ગીય બેઠા હતા) અને ઢંઢેરાની વાત હિન્દી ભાષામાં કરવામાં આવી રહી છે (અર્થાત ભાજપના નેતાઓ બંગાળી ભાષા નથી બોલતા). ડેરેક ઓબ્રાયન મૂળ ખ્રિસ્તી છે અને ભારતને તોડવા માગતા તત્વોની જે ત્રેખડ છે (ડાબેરીઓ-ખ્રિસ્તીઓ-જેહાદીઓ) તેમાં તેનો સમાવેશ થાય છે. ડેરેક ઓબ્રાયનનું આ નિવેદન અતિશય ચિંતાજનક અને ગંભીર છે, પરંતુ ભારતની એ કમનસીબી છે કે, સરેરાશ ભારતીયોને આવા નિવેદનોના ગૂઢાર્થની ખબર પડતી નથી, અને જેમને ખબર પડે છે એ લોકો એ હદે સ્વાર્થી છે કે “એમાં આપણે શું…” એમ કહીને બાજુમાં સરકી જાય છે. મોટાભાગના મીડિયા ડાબેરીઓ-મિશનરીઓ અને જેહાદીઓના પૈસાથી ચાલતા હોવાથી એ તો ડેરેક ઓબ્રાયનના આવા વિભાજનકારી નિવેદન સામે કોઈ પ્રશ્ન ઉઠાવવાના નથી કે કોઈ હોબાળો પણ કરવાના નથી.

ખેર, પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ સત્તામાં હતા ત્યારથી હિન્દુ હિતો હાંસિયામાં ધકેલાયેલા રહ્યા છે. મમતા બેનરજીના દસ વર્ષના શાસનમાં પણ ડાબેરીઓની જ પરંપરા ચાલુ રહી, તે ઉપરાંત સંઘ-ભાજપના નેતાઓ-કાર્યકરોની હત્યાઓ પણ થતી રહી. છતાં છેવટે લોકશાહી પ્રક્રિયામાં મતદાન દ્વારા જે પક્ષ અથવા ગઠબંધન સત્તા ઉપર આવે તેનો સ્વીકાર કરવાનો હોય છે. ભાજપના આક્રમક પ્રચાર વિરુદ્ધ મમતા બેનરજીના પ્રાંતવાદ-ભાષાવાદ – એમાંથી કોની જીત થાય છે એ તો બીજી મે સુધી જાણી શકાશે નહીં.

રાજકાજ

– અલકેશ પટેલ

ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

6 વર્ષથી પોલીસને હંફાવતા નક્સલીને કોરોનાએ પકડાવી દીધો

Next Post

એન્ટાલિયા કેસમાં અમદાવાદ કનેક્શન, શંકાસ્પદને એટીએસે ઉઠાવ્યો

Related Posts

ઠાકોર, પટેલ અને મેવાણી.. શું ગુજરાત કોંગ્રેસ આ ત્રણ ચહેરાઓ પર 2022ની ચૂંટણી સર કરી શકશે?
સ્પેશિયલ

ઠાકોર, પટેલ અને મેવાણી.. શું ગુજરાત કોંગ્રેસ આ ત્રણ ચહેરાઓ પર 2022ની ચૂંટણી સર કરી શકશે?

December 3, 2021
199
અંગત વિચારો અંગત જ રાખવા જોઈએ
સ્પેશિયલ

અંગત વિચારો અંગત જ રાખવા જોઈએ

April 15, 2021
179
બહેતર વિકલ્પ હોવાને કારણે ભારતને ઇજાગ્રસ્તોની સમસ્યા નડતી નથી
સ્પેશિયલ

બહેતર વિકલ્પ હોવાને કારણે ભારતને ઇજાગ્રસ્તોની સમસ્યા નડતી નથી

March 28, 2021
114
એન્ટિલિયા, વિસ્ફોટક, 100 કરોડનું ‘પરમ’ સત્ય ક્યારેય બહાર નહીં આવે
સ્પેશિયલ

એન્ટિલિયા, વિસ્ફોટક, 100 કરોડનું ‘પરમ’ સત્ય ક્યારેય બહાર નહીં આવે

March 23, 2021
118
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ : ભારત કે ન્યૂઝીલેન્ડ માટે માર્ગ આસાન નથી
સ્પેશિયલ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ : ભારત કે ન્યૂઝીલેન્ડ માટે માર્ગ આસાન નથી

March 20, 2021
84
તાતા કેમ મહાન સંસ્થા છે ?
સ્પેશિયલ

તાતા કેમ મહાન સંસ્થા છે ?

March 19, 2021
52
Next Post
એન્ટાલિયા કેસમાં અમદાવાદ કનેક્શન, શંકાસ્પદને એટીએસે ઉઠાવ્યો

એન્ટાલિયા કેસમાં અમદાવાદ કનેક્શન, શંકાસ્પદને એટીએસે ઉઠાવ્યો

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ
નેશનલ

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

by Editors
April 8, 2022
92
મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ
નેશનલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

by Editors
April 8, 2022
321
આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો
નેશનલ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

by Editors
April 8, 2022
428
અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી
નેશનલ

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

by Editors
April 8, 2022
529
બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા
નેશનલ

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

by Editors
April 8, 2022
2.2k

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

IPL 2022માં સૌથી વધુ રન બનાવનારા આ ત્રણ ખેલાડીઓમાં છે જબરદસ્ત કનેક્શન, જાણીને ચોકીં ઉઠશો

  • વાપીના હ્યુબરવાળા સુરેશ પટેલ તથા હરિયા પરિવારના તુષાર હરિયાનાં દિકરી-દિકરાનાં ગોવા ખાતે લગ્નમાં જઇ આવેલા વાપીનાં ૫૦ ઉદ્યોગપતિ, વેપારીઓ કોરોના સંક્રમિત થતાં હાહાકાર

    0 shares
    Share 0 Tweet 0
  • શેત્રુંજ્ય તીર્થ પર પુજાની વહીવટી તંત્રની મંજૂરી : ભારતભરનાં જૈન સંઘોએ મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીનો આભાર માન્યો

    0 shares
    Share 0 Tweet 0
  • ગુજરાતના આ વિસ્તારમાં વીજ કટોકટી, બપોર પછી વીજ કાપ માટે તૈયાર રહો

    0 shares
    Share 0 Tweet 0
  • વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રના કપરાડા તાલુકાના ગજેન્દ્રકુમાર બન્યા ડે. કલેક્ટર

    0 shares
    Share 0 Tweet 0
  • શોખીનો માટે સારાં સમાચાર, દ.ગુજરાતના આ ચાર ગામડાઓ કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બનશે

    0 shares
    Share 0 Tweet 0
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
357946
Your IP Address : 35.170.82.159
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link