Headlines
Home » જેગુઆરે 9 લોકોને કચડી નાખ્યા, ટોળાએ આરોપીને ધોઈ નાંખ્યો, પછી પિતાએ બંદૂકના જોરે પુત્રને છોડાવ્યો

જેગુઆરે 9 લોકોને કચડી નાખ્યા, ટોળાએ આરોપીને ધોઈ નાંખ્યો, પછી પિતાએ બંદૂકના જોરે પુત્રને છોડાવ્યો

Share this news:

ગુજરાતના અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, અકસ્માત સરખેજ-ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાયઓવર પર થયો હતો જ્યારે એક ઝડપી લક્ઝરી કાર અકસ્માત સ્થળે ભીડમાં ઘૂસી ગઇ હતી. આ અકસ્માતમાં એક નવો ખુલાસો થયો છે.

મળતી માહિતી મુજબ કાર ચાલક કુખ્યાત અપરાધીનો પુત્ર છે અને તેની ઓળખ તથ્ય પટેલ તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં એક યુવતી પણ મુસાફરી કરી રહી હતી, જે અકસ્માત બાદ ભાગી ગઈ હતી. તે જ સમયે કાર ચાલકે લોકો પર કાર ચડાવી દીધી હતી, જે બાદ ભીડે યુવકને ઘેરી લીધો હતો.

પિતા બંદૂકની અણીએ પુત્રને લઇ ગયા
રોષે ભરાયેલા લોકોએ યુવકને માર માર્યો હતો. દરમિયાન યુવકના પિતા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બંદૂકની અણીએ તેમના પુત્રને ભીડમાંથી બહાર કાઢ્યો હતો અને લોકો ડરી ગયા હતા. આ સિવાય આરોપી કાર ચાલક સાથે અન્ય એક યુવક અને એક યુવતી પણ કારમાં મુસાફરી કરી રહ્યા હતા, જેઓ અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

Share this news:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *