31 જાન્યુઆરી 2021ના રોજ પ્રબુદ્ધ ભારત’ની 125મી વર્ષગાંઠ હોવાથી સરકાર દ્વારા તેની ઉજવણી માટે તૈયારી કરાઈ રહી છે. આ દિવસે બપોરે 3.15 કલાકે વડાપ્રધાન મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે. 1896માં સ્વામી વિવેકાનંદ દ્વારા રામક્રિશ્ના વિન્યાસની માસિક જર્નલ ‘પ્રબુદ્ધ ભારત’નો આરંભ કરાયો હતો. ભારતના પ્રાચીન આધ્યાત્મિક જ્ઞાનનો પ્રસાર કરવા ‘પ્રબુદ્ધ ભારત’ જર્નલ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ, બાળ ગંગાધર તિળક, સિસ્ટર નિવેદિતા, ઓરોબિંદો, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાક્રિશ્નન સહિત અન્ય પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા લોકોએ વર્ષોના સમયગાળામાં આ જર્નલમાં યોગદાન આપ્યું છે. અદ્વૈત આશ્રમ, સમગ્ર ‘પ્રબુદ્ધ ભારત’નો સંગ્રહ પોતાની વેબસાઇટ પર ઑનલાઇન મુકવાની દીશા પણ કામ કરી રહ્યો છે. તેનું પ્રકાશન ચેન્નઇ ખાતેથી કરાયું હતુ. જ્યાંથી સળંગ બે વર્ષ સુધી તેનું પ્રકાશન થયા બાદ અલમોરા ખાતેથી તેનું પ્રકાશન શરૂ કરાયું હતુ. બાદમાં 1899માં એપ્રિલ મહિનાથી આ જર્નલનું પ્રકાશન સ્થળ બદલીને અદ્વૈત આશ્રમ કરાયું હતુ. ત્યારથી આજદિન સુધી ત્યાંથી જ તેનું પ્રકાશન થઇ રહ્યું છે. હવે 2020માં તેની 125મી વર્ષગાંઠ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા કરવામાં આવશે. હાલ આયોજકો દ્વારા તડામાર તૈયારી કરાઈ રહી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી બપોરે 3.15 કલાકે વડાપ્રધાન મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે. કેટલીક મહાન હસ્તીઓએ ભારતીય સંસ્કૃતિ, તત્વચિંતન, ઇતિહાસ, મનોવિજ્ઞાન, કળા અને અન્ય સામાજિક મુદ્દાઓ પર આપેલા સંદેશાની પ્રતિતી ‘પ્રબુદ્ધ ભારત’માં થતી રહે છે.