Friday, March 31, 2023
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home નેશનલ

ભારતમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આ તારીખથી રસી અપાશે

by Editors
February 25, 2021
in નેશનલ
Reading Time: 1min read
ભારતમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આ તારીખથી રસી અપાશે
19
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

ભારતમાં કોરોના કેસમાં ફરી ઉછાળો આવતાં હવે સરકારે રસીકરણ અભિયાનને વધુ તેજ કરવું પડે તેમ છે. તેથી પહેલી માર્ચથી રસીકરણનો બીજો તબક્કો અસરકારક અને ઝડપી બનાવવા આદેશ થયા છે. બીજા તબક્કામાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રસી આપવાનું આયોજન છે. આ ઉપરાંત જેમને બિમારી હોય અને ૪૫ વર્ષ કે તેથી વધુ વયના હોય તેમને પણ પહેલી માર્ચથી રસી અપાશે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 1લીથી દેશમાં કોરોના વેકસીનેશનનો બીજો તબક્કો શરૃ થનાર છે. આ માટે ૧૦ હજાર સરકારી કેન્દ્રો ઉપર વ્યવસ્થા કરાશે. ઉપરાંત ૨૦ હજાર ખાનગી કેન્દ્રો પણ આ માટે પસંદ કરાયા છે.
ખાનગી કેન્દ્રો પર રસી મુકાવવા માટે પૈસા આપવાના રહેશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે જે પણ નેતાઓ ૬૦ વર્ષથી વધુ વયના હોય અને ૪૫ વર્ષની વધુ વયના હોય તેમજ બિમારી હોય તો તેઓ ઇચ્છે તો રસી લઇ શકશે. કેન્દ્રીય મંત્રી રવીશંકર પ્રસાદે કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રીઓ રસીનો ચાર્જ આપવા માટે તૈયાર છે. જોકે અન્ય દેશોમાં નેતાઓ પહેલા રસી લઇ રહ્યા છે, તેવું ભારતમાં કેમ નથી, તેવો સવાલ મીડીયાએ પુછતા પ્રસાદે કહ્યું હતું કે તે દ્રષ્ટીકોણ પર નિર્ભર કરે છે. અહીં અમે પહેલા અમારા સ્વાસ્થ્ય કર્મીઓને પ્રાથમિક્તા આપવા માગીએ છીએ. મંત્રી પ્રકાશ જાવડેકરે આ વિશે કહ્યું હતું કે, બીજા તબક્કામાં દેશભરમાં આશરે ૨૭ કરોડ લોકોને રસી આપવાનું આયોજન છે.
બીજા તબક્કાના વેકસીનેશનમાં ૪૫ વર્ષથી વધુ વયના એવા લોકોને પણ રસી અપાશે. જે લોકોને કોઇ બિમારી છે તેમને પણ તબીબી તપાસ કરી રસી મુકવા આયોજન છે. સરકારી કેન્દ્રો પર આ રસી મફતમાં અપાશે. જયારે ખાનગી કેન્દ્રો પર ચાર્જ વસુલાશે. આગામી ચાર-પાંચ દિવસમાં ખાનગી ધોરણે મુકાનાર રસીના ચાર્જ પણ નક્કી કરીને જાહેર કરી દેવાશે. અગાઉ બીજા તબક્કામાં વડાપ્રધાન, રાજ્યોના બધા જ મુખ્યમંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને રસી આપવાનું આયોજન હતુ. જો કે, મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે સ્પષ્ટતા કરી ન હતી. દરમિયાન રસી લીધા બાદ મોત નિપજ્યાની ઘટના મધ્ય પ્રદેશમાં ઘટી હતી. જયાં સ્વાસ્થ્ય વિભાગના ૬૦ વર્ષના કર્મચારી રજની સેનને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યા પછી તેમનું મોત નિપજ્યું હતું.

ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

અમદાવાદમાં ભાજપના 16 સહિત 450 ઉમેદવારોની ડીપોઝીટ ડુલ

Next Post

સુરતમાં યુવકનો આપઘાત, સ્યુસાઈડ નોટમાં લખ્યું પત્નીના બીજા લગ્ન કરાવી દેજો

Related Posts

ઓનલાઈન વોલેટ દ્વારા પેમેન્ટ કરવા માટે ઈન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે, ગિફ્ટ કાર્ડ અંગે પણ નિયમો બદલાયા
નેશનલ

ઓનલાઈન વોલેટ દ્વારા પેમેન્ટ કરવા માટે ઈન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે, ગિફ્ટ કાર્ડ અંગે પણ નિયમો બદલાયા

March 29, 2023
15
ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
નેશનલ

ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું

November 18, 2022
14
આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI
નેશનલ

આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI

November 18, 2022
8
જ્ઞાનવાપી મસ્જિદ કેદમાં મુસ્લિમ પક્ષકારોને આંચકો, કેસને ફગાવી દેવાની અરજી કોર્ટે નકારી
નેશનલ

જ્ઞાનવાપી મસ્જિદ કેદમાં મુસ્લિમ પક્ષકારોને આંચકો, કેસને ફગાવી દેવાની અરજી કોર્ટે નકારી

November 17, 2022
8
ત્રણ હેન્ડ ગ્રેનેડ અને એક લાખ ભારતીય ચલણ સાથે બે આતંકવાદીઓની ધરપકડ : પઠાણકોટથી અમૃતસર આવી રહ્યા હતા
નેશનલ

ત્રણ હેન્ડ ગ્રેનેડ અને એક લાખ ભારતીય ચલણ સાથે બે આતંકવાદીઓની ધરપકડ : પઠાણકોટથી અમૃતસર આવી રહ્યા હતા

November 17, 2022
10
ભાજપ નેતાના ગેસ્ટ હાઉસમાં ચાલી રહ્યો હતો દેહવેપાર, નગરપાલિકાનો પૂર્વ અધ્યક્ષ ફરાર
નેશનલ

ભાજપ નેતાના ગેસ્ટ હાઉસમાં ચાલી રહ્યો હતો દેહવેપાર, નગરપાલિકાનો પૂર્વ અધ્યક્ષ ફરાર

November 17, 2022
6
Next Post
સુરતમાં યુવકનો આપઘાત, સ્યુસાઈડ નોટમાં લખ્યું પત્નીના બીજા લગ્ન કરાવી દેજો

સુરતમાં યુવકનો આપઘાત, સ્યુસાઈડ નોટમાં લખ્યું પત્નીના બીજા લગ્ન કરાવી દેજો

Recent Posts

  • ઓનલાઈન વોલેટ દ્વારા પેમેન્ટ કરવા માટે ઈન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે, ગિફ્ટ કાર્ડ અંગે પણ નિયમો બદલાયા
  • ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
  • આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI
  • આલિયા ભટ્ટ, બિપાશા બાસુ પછી આ પ્રેગ્નન્ટ એક્ટ્રેસે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ !
  • IND vs NZ Head To Head: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિરાટ-રોહિત જેવા દિગ્ગજ ખેલાડી ટીમની બહાર
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
380093
Your IP Address : 18.206.92.240
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link