Headlines
Home » પીએમ મોદીએ વારંગલના ભદ્રકાલી મંદિરમાં કરી પૂજા, થોડી જ વારમાં આપશે 6100 કરોડની ભેટ

પીએમ મોદીએ વારંગલના ભદ્રકાલી મંદિરમાં કરી પૂજા, થોડી જ વારમાં આપશે 6100 કરોડની ભેટ

Share this news:

પીએમ મોદી તેલંગાણાને ઘણી મોટી ભેટ આપવા માટે આજે વારંગલ પહોંચ્યા છે. બીજેપી નેતૃત્વમાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો બાદ પીએમ મોદીની તેલંગાણાની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપતા પહેલા પ્રસિદ્ધ ભદ્રકાલી મંદિર પહોંચ્યા બાદ પૂજા કરી રહ્યા છે. PM થોડી જ વારમાં તેલંગાણાને 6100 કરોડની ભેટ આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણાને ઘણી મોટી ભેટ આપવા માટે આજે વારંગલ પહોંચ્યા છે. બીજેપી નેતૃત્વમાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો બાદ પીએમ મોદીની તેલંગાણાની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપતા પહેલા પ્રસિદ્ધ ભદ્રકાલી મંદિર પહોંચ્યા બાદ પૂજા કરી રહ્યા છે.

6100 કરોડના પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે
PM આજે તેલંગાણામાં રૂ. 6100 કરોડના માળખાકીય પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સમાં કાઝીપેટ ખાતે રેલવે વેગન મેન્યુફેક્ચરિંગ યુનિટનો શિલાન્યાસ પણ સામેલ છે, જેને 500 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવશે.

આ હાઇ-ટેક ઉત્પાદન સુવિધા સ્થાનિક રોજગારને વેગ આપશે અને આસપાસના વિસ્તારોમાં આનુષંગિક એકમોના વિકાસને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા છે.

Share this news:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *