Thursday, March 30, 2023
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home નેશનલ

પંચ જાગ્યું, કોરોના વેક્સીન સર્ટિફિકેટ પરથી PM મોદીની તસવીર હટાવવા આદેશ

by Editors
March 6, 2021
in નેશનલ
Reading Time: 1min read
પંચ જાગ્યું, કોરોના વેક્સીન સર્ટિફિકેટ પરથી PM મોદીની તસવીર હટાવવા આદેશ
18
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતાના અમલ માટે જાગી ગયું છે. પંચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને જે રાજ્યોમાં ચૂંટણી થનાર છે તેવા વિસ્તારમાં કોરોનાની વેક્સીનના સર્ટિફિકેટમાંથી પીએમ મોદીની તસવીરને દૂર કરી દેવા આદેશ કર્યો છે. મળતી વિગતો મુજબ કેરળ, પુડુચેરી, અસમ, પશ્ચિમ બંગાળ અને તમિળનાડુમાં વિધાનસભાની ચૂંટણીને કારણ આચારસંહિતા અમલી બની છે. બીજી તરફ દેશમાં કોરોનાનું વેકસીનેશન ચાલી રહ્યું છે. જેમાં વેકસીન લીધા બાદ અપાતા પ્રમાણપત્રમાં મોદીનો ફોટો છે. તેથી જે પાંચ રાજ્યોમાં ચૂંટણી થનાર છે તે રાજ્યોમાં ચાલી રહેલા વેકસીનેશન કાર્યક્રમ પર પંચનું ધ્યાન ગયું છે. કોરોના રસીના સર્ટી પર મોદીના ફોટાથી ભાજપને લાભ થશે તેવી ફરિયાદો ઉઠતા પંચે કાર્યવાહી કરી છે. જેમાં ચૂંટણીવાળા રાજ્યોમાંથી વેક્સીન સર્ટિફિકેટ પરછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર હટાવવા હુકમ કરી દીધો છે. પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને તાકીદ કરી છે કે,
જે પાંચ રાજ્યોમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે ત્યાં વેકસીનેશન ચાલુ રખાય તે સામે કોઈ વાંધો નથી. પરંતુ તે અંગે અપાતા સર્ટી.માં હાલ પીએમ મોદીનો ફોટો સ્વાસ્થ્ય મંત્રાલયે છાપ્યો છે. જે યોગ્ય નથી. આ બાબત ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે. તૃણમૂલ કોંગ્રેસે આ બાબતે ચૂંટણી પંચને લેખીત ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે. તે પછી ચૂંટણી પંચ દ્વારા સ્વાસ્થ્ય મંત્રાલયને આદેશ આપવા મજબૂર થવુ પડ્યાનું પણ કહેવાય છે. પંચે લખેલા પત્રમાં સ્વાસ્થ્ય મંત્રાલયને આચાર સંહિતાની કેટલીક જોગવાઈઓ વિશે છણાવટ કરી છે. સરકારી ખર્ચે જાહેરાત કરી શકાય નહીં તે બાબતનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. પંચે કોઈ વ્યક્તિ કે હસ્તીનો હવાલો નથી આપ્યો પણ સ્વસ્થ્ય મંત્રાલયને કહ્યું છે કે, તે આચાર સંહિતાની જોગવાઈઓનું અક્ષરસહ પાલન કરે તે અત્યંત આવશ્યક છે. ઉલ્લેખનીય છે કે, બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટકકર મનાય રહી છે. આવા સંજોગોમાં ભાજપ કોઈ લાભ ખોટી રીતે ખાટી ન જાય તે માટે ટીએમસી પુરેપુરી સતર્ક છે. પેટ્રોલ પંપ પરથી પણ મોદીના ફોટા હટાવવામાં ટીએમસીએની ફરિયાદ કારણભૂત હોવાનું મનાય છે. પશ્ચિમ બંગાળ, અસમ, તમિળનાડુ, કેરળ અને પુડુચેરીમાં કોરોના વેક્સીનના સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રીની તસવીર ના છપાય તેવી તાકીદ પંચે વિપક્ષના વિરોધને ખાળવા માટે
કરી છે.

ADVERTISEMENT
ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

અમદાવાદથી દોડતી 4 ટ્રેનો રદ્દ, 3 ટ્રેનના રૂટ બદલાયા

Next Post

સાબરમતી અને જોધપુર વચ્ચે હવે અનરિઝર્વ ટ્રેન દોડશે

Related Posts

ઓનલાઈન વોલેટ દ્વારા પેમેન્ટ કરવા માટે ઈન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે, ગિફ્ટ કાર્ડ અંગે પણ નિયમો બદલાયા
નેશનલ

ઓનલાઈન વોલેટ દ્વારા પેમેન્ટ કરવા માટે ઈન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે, ગિફ્ટ કાર્ડ અંગે પણ નિયમો બદલાયા

March 29, 2023
15
ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
નેશનલ

ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું

November 18, 2022
14
આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI
નેશનલ

આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI

November 18, 2022
8
જ્ઞાનવાપી મસ્જિદ કેદમાં મુસ્લિમ પક્ષકારોને આંચકો, કેસને ફગાવી દેવાની અરજી કોર્ટે નકારી
નેશનલ

જ્ઞાનવાપી મસ્જિદ કેદમાં મુસ્લિમ પક્ષકારોને આંચકો, કેસને ફગાવી દેવાની અરજી કોર્ટે નકારી

November 17, 2022
8
ત્રણ હેન્ડ ગ્રેનેડ અને એક લાખ ભારતીય ચલણ સાથે બે આતંકવાદીઓની ધરપકડ : પઠાણકોટથી અમૃતસર આવી રહ્યા હતા
નેશનલ

ત્રણ હેન્ડ ગ્રેનેડ અને એક લાખ ભારતીય ચલણ સાથે બે આતંકવાદીઓની ધરપકડ : પઠાણકોટથી અમૃતસર આવી રહ્યા હતા

November 17, 2022
10
ભાજપ નેતાના ગેસ્ટ હાઉસમાં ચાલી રહ્યો હતો દેહવેપાર, નગરપાલિકાનો પૂર્વ અધ્યક્ષ ફરાર
નેશનલ

ભાજપ નેતાના ગેસ્ટ હાઉસમાં ચાલી રહ્યો હતો દેહવેપાર, નગરપાલિકાનો પૂર્વ અધ્યક્ષ ફરાર

November 17, 2022
6
Next Post
સાબરમતી અને જોધપુર વચ્ચે હવે અનરિઝર્વ ટ્રેન દોડશે

સાબરમતી અને જોધપુર વચ્ચે હવે અનરિઝર્વ ટ્રેન દોડશે

Recent Posts

  • ઓનલાઈન વોલેટ દ્વારા પેમેન્ટ કરવા માટે ઈન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે, ગિફ્ટ કાર્ડ અંગે પણ નિયમો બદલાયા
  • ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
  • આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI
  • આલિયા ભટ્ટ, બિપાશા બાસુ પછી આ પ્રેગ્નન્ટ એક્ટ્રેસે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ !
  • IND vs NZ Head To Head: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિરાટ-રોહિત જેવા દિગ્ગજ ખેલાડી ટીમની બહાર
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
380093
Your IP Address : 18.206.92.240
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link