Headlines
Home » પાકિસ્તાનમાં રાજકીય પક્ષના સંમેલનમાં આત્મઘાતી વિસ્ફોટ, 44 થી વધુ લોકોના મોત, 100 થી વધુ લોકો ઘાયલ

પાકિસ્તાનમાં રાજકીય પક્ષના સંમેલનમાં આત્મઘાતી વિસ્ફોટ, 44 થી વધુ લોકોના મોત, 100 થી વધુ લોકો ઘાયલ

Share this news:

પ્રારંભિક અહેવાલો અનુસાર તે આત્મઘાતી વિસ્ફોટ હતો. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. JUI-Fના નેતા હાફિઝ હમદુલ્લાએ કહ્યું, “હું આના પાછળના લોકોને કહેવા માંગુ છું કે આ જેહાદ નથી પરંતુ આતંકવાદ છે. આ માનવતા પર હુમલો છે.

રવિવારે અફઘાનિસ્તાનની સરહદે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અશાંત આદિવાસી જિલ્લામાં એક ભયાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ હુમલો કટ્ટરપંથી ઈસ્લામિક રાજકીય પક્ષની બેઠકને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઓછામાં ઓછા 44 લોકો માર્યા ગયા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા. બાજૌર આદિવાસી જિલ્લાની રાજધાની ખારમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ના કાર્યકર્તા સંમેલન દરમિયાન વિસ્ફોટ થયો હતો.

JUI-Fના વડા મૌલાના ફઝલુર રહેમાને વડા પ્રધાન શેહબાઝ શરીફ અને પ્રાંતના કાર્યપાલક મુખ્ય પ્રધાન આઝમ ખાન દ્વારા ઘટનાની તપાસની માંગ કરી હતી. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને હોસ્પિટલમાં પહોંચીને રક્તદાન કરવાની પણ અપીલ કરી છે. ફઝલે કહ્યું કે JUI કાર્યકર્તાઓએ શાંતિ જાળવી રાખવી જોઈએ. આ સાથે સંઘીય અને પ્રાંતીય સરકારોએ ઘાયલોને યોગ્ય સારવાર આપવી જોઈએ.

મુખ્યમંત્રી આઝમ ખાને વિસ્ફોટની નિંદા કરી છે અને જિલ્લા વહીવટીતંત્ર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ખૈબર પખ્તુનખ્વાના ગવર્નર હાજી ગુલામ અલીએ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. તેઓ JUIF ના કેન્દ્રીય સભ્ય પણ છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોટાભાગના ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

પ્રારંભિક અહેવાલો અનુસાર તે આત્મઘાતી વિસ્ફોટ હતો. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. JUI-Fના નેતા હાફિઝ હમદુલ્લાએ કહ્યું કે હું બ્લાસ્ટની સખત નિંદા કરું છું અને તેની પાછળના લોકોને કહેવા માંગુ છું કે તે જેહાદ નથી પરંતુ આતંકવાદ છે. આ માનવતા પર હુમલો છે.

Share this news:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *