Sunday, May 29, 2022
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home સ્પેશિયલ

રાહુલ ગાંધીના રાજકારણનું ઔચિત્ય

by Editors
February 17, 2021
in સ્પેશિયલ
Reading Time: 2min read
રાહુલ ગાંધીના રાજકારણનું ઔચિત્ય
120
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

ભારતીય રાજકારણમાં ગાંધી પરિવાર વિશે બોલવું કે લખવું આમ તો ઘણું જોખમી છે એ સાબિત કરવા માટે 72-73 વર્ષનો ઇતિહાસ સાક્ષી છે, પરંતુ છેલ્લા છ-આઠ મહિનામાં રિપબ્લિક ચૅનલના અર્ણવ ગોસ્વામી, સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી કંગના રાણાવત અને છેલ્લે ભારતરત્ન લતા મંગેશકર તથા ભારતરત્ન સચિન તેંડુલકર સાથે કોંગ્રેસે જે કંઈ કર્યું એ જોયા પછી ડર બેવડો થઈ જાય એ સ્વાભાવિક છે. છતાં, પત્રકાર બન્યા હૈ તો હાચી વાત કેહના તો પડેગા 🙂

ચાર રાજ્યમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધી જે નિવેદન-બાજી, જે ટ્વિટર-બાજી, જે પત્રકારપરિષદ-બાજી કરી રહ્યા છે તે એક દેશ તરીકે ભારતના રાષ્ટ્રીય હિતો માટે કઈ હદે જોખમી નીવડી શકે છે એ નાગરિકોએ તો સમજવું જ પડશે, પણ ખાસ તો મીડિયાએ સમજવું પડશે જે તમામ પ્રકારની અપરિપક્વતાને માથે બેસાડે છે.

લોકશાહીમાં વિરોધપક્ષ અનિવાર્ય છે. એ વિરોધપક્ષ સબળ હોય, તેનું નેતૃત્વ સબળ હોય એ લોકશાહીની આવશ્યકતા છે, પરંતુ એ બધાની સાથે રાષ્ટ્રહિત સર્વોચ્ચ સ્થાને હોવું જોઇએ. આમછતાં મૂળભૂત રીતે લઘુમતી તુષ્ટિકરણની માનસિકતા ધરાવનાર નહેરુ-ગાંધી પરિવારના રાહુલભાઈ છેલ્લા કેટલાય વર્ષથી એકના એક પ્રકારના નિવેદનો કર્યા કરે છે કે, “(એ) નરેન્દ્ર મોદી તેમના ચાર-પાંચ ઉદ્યોગપતિઓના લાભ માટે જ શાસન કરે છે. (બી) નરેન્દ્ર મોદી ખેડૂતોના પૈસા છીનવીને ચાર-પાંચ ઉદ્યોગપતિ મિત્રોને આપી દે છે. (સી) નરેન્દ્ર મોદીએ ચાર-પાંચ ઉદ્યોગપતિના લાભ માટે નોટબંદી કરી હતી…” વગેરે વગેરે વગેરે. અને કમનસીબે કોઈ પત્રકાર-તંત્રી શ્રી રાહુલજીને પૂછતા નથી કે, એ ચાર-પાંચ ઉદ્યોગપતિ કયા છે એના નામ આપો અને નરેન્દ્ર મોદીને કારણે એ ઉદ્યોગપતિઓને ચોક્કસ કયો લાભ થયો એ તો જણાવો!

ADVERTISEMENT

આ બધાથી ઉપર શ્રી રાહુલજીએ છેલ્લે ગયા અઠવાડિયે લોકસભામાં જે કર્યું હતું એ તો બેહદ બાલિશ અને તદ્દન અક્ષમ્ય છે. સંસદના વર્તમાન સત્રના પ્રારંભે રાષ્ટ્રપતિએ કરેલા સંબોધન પરના આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકભામાં શ્રી રાહુલજીએ નોટબંદીથી લઇને કહેવાતા ખેડૂત આંદોલન સુધીની બધી વાતો કરી જેમાં અગાઉના નિવેદનોના પુનરોચ્ચાર સિવાય કશું જ નહોતું. પણ એ પછી એમણે જે કર્યું એ અભૂતપૂર્વ અને સંસદીય મર્યાદાના ભંગ સમાન હતું. તેમણે લોકસભામાં એવું નિવેદન કરી નાખ્યું કે, વર્તમાન ખેડૂત આંદોલન દરમિયાન 200 ખેડૂત માર્યા ગયા છે અને એ બધાને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું મૌન પાળવું જોઇએ. આટલું બોલ્યા પછી તેઓશ્રીએ તેમના પક્ષના સાંસદોને ઊભા થઈ જવા બંને હાથ હલાવીને ઇશારો કર્યો અને પછી કોંગ્રેસી સાંસદો 39 સેકન્ડ માટે મૌન ઊભા રહ્યા.

મૃતકોને શ્રદ્ધાંજલિ આપવી એમાં કશું જ ખોટું નથી. આપવી જ જોઇએ. માનવ સમાજની એ જ પરંપરા છે. પરંતુ અહીં મુદ્દો એ છે કે, એક તો શ્રી ગાંધીએ તદ્દન ખોટું નિવેદન કર્યું કે, 200 ખેડૂત મૃત્યુ પામ્યા છે અને ત્યારપછી લોકસભા અધ્યક્ષની પરવાનગી લીધા વિના પોતે જ મૌન પાળવાની જાહેરાત કરી દીધી! આખી દુનિયાની લોકશાહી વ્યવસ્થામાં રાષ્ટ્રપ્રમુખ અથવા વડાપ્રધાન ભલે દેશના સર્વોચ્ચ વડા ગણાય, પરંતુ સંસદમાં જે તે અધ્યક્ષ સર્વોચ્ચ ગણાય અને રાષ્ટ્રપ્રમુખ હોય કે વડાપ્રધાન- તેમણે પણ અધ્યક્ષના જ આદેશ અને નિર્દેશનું પાલન કરવું પડે. પણ ચાર વખતથી સંસદસભ્ય ચૂંટાતા શ્રી રાહુલજીએ સંસદીય પ્રણાલી અને અધ્યક્ષનું અપમાન કર્યું.

આદરણીય શ્રી રાહુલજી ચીન સાથેના સંઘર્ષ મુદ્દે પણ વારંવાર સરકાર વિરોધી જાહેર નિવેદનો કરે છે, જેને કારણે ચીન તેમજ પાકિસ્તાન ખુશ થાય. ડોકલામ લશ્કરી સ્ટેન્ડઑફ હોય કે લદાખમાં અથડામણ હોય – શ્રી ગાંધીએ મોદીને અપમાનિત કરવાના બહાને છેવટે તો ભારતીય લશ્કરના મૉરલને જ આઘાત પહોંચાડ્યો છે. ગાંધી પરિવારના આ અપરિપક્વ ચિરાગે હજુ બે દિવસ પહેલાં આસામમાં એક જાહેરસભામાં એવું નિવેદન કર્યું છે કે, પોતે આસામમાં સીએએ લાગુ થવા નહીં દે. ખબર નહીં કેમ, પણ શ્રી રાહુલજી એ વાત સમજતા જ નથી કે કેન્દ્ર સરકાર તો માત્ર સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનો અમલ કરવાની દિશામાં કામ કરી રહી છે. એટલું જ નહીં પરંતુ તેમના પરમપૂજ્યુ પિતાશ્રી સ્વ. રાજીવ ગાંધીએ આસામમાં આંદોલન સમાપ્ત કરવા માટે કરેલી સમજૂતીમાં પણ આ વાત હતી. હવે આસામમાં એ કાયદાનો વિરોધ કરવો અથવા કોંગ્રેસ સત્તામાં આવશે તો એ કાયદો રદ્દ કરી દેશે એવી વાત કરવી એ શું સુપ્રીમ કોર્ટ તેમજ પૂજ્ય પિતાશ્રી રાજીવ ગાંધીનું અપમાન ન ગણાય?

આ બધું શ્રી રાહુલજીને કોણ સમજાવશે? હાલની સ્થિતિ જોતાં લાગે છે કે, તેઓશ્રીને કોઈ સમજાવી શકશે નહીં, એ પોતે સમજશે નહીં અને પરિણામે ભાજપ સામે રાષ્ટ્રીય સ્તરે કોઈ વિરોધપક્ષ ઊભો થઈ શકશે નહીં. સરવાળે જોખમ લોકશાહીનું છે અને એ જોખમ ઊભું કરવા માટે ગાંધી પરિવાર કેટલો જવાબદાર છે- એ આ દેશના ચતુર નાગરિકોએ વિચારવું રહ્યું.

અલકેશ પટેલ

ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

બે આસન તમને કમ્મરના દુખાવાથી અપાવશે રાહત

Next Post

સુરતમાં ડાયમંડના વેપારીની દીકરીનું સયંમના માર્ગે પ્રયાણ

Related Posts

ઠાકોર, પટેલ અને મેવાણી.. શું ગુજરાત કોંગ્રેસ આ ત્રણ ચહેરાઓ પર 2022ની ચૂંટણી સર કરી શકશે?
સ્પેશિયલ

ઠાકોર, પટેલ અને મેવાણી.. શું ગુજરાત કોંગ્રેસ આ ત્રણ ચહેરાઓ પર 2022ની ચૂંટણી સર કરી શકશે?

December 3, 2021
199
અંગત વિચારો અંગત જ રાખવા જોઈએ
સ્પેશિયલ

અંગત વિચારો અંગત જ રાખવા જોઈએ

April 15, 2021
180
બહેતર વિકલ્પ હોવાને કારણે ભારતને ઇજાગ્રસ્તોની સમસ્યા નડતી નથી
સ્પેશિયલ

બહેતર વિકલ્પ હોવાને કારણે ભારતને ઇજાગ્રસ્તોની સમસ્યા નડતી નથી

March 28, 2021
117
મમતાદીદીની ‘મધુર’ વાણીઃ “મોદી દુર્યોધન છે, દુશાસન છે”
સ્પેશિયલ

મમતાદીદીની ‘મધુર’ વાણીઃ “મોદી દુર્યોધન છે, દુશાસન છે”

March 24, 2021
417
એન્ટિલિયા, વિસ્ફોટક, 100 કરોડનું ‘પરમ’ સત્ય ક્યારેય બહાર નહીં આવે
સ્પેશિયલ

એન્ટિલિયા, વિસ્ફોટક, 100 કરોડનું ‘પરમ’ સત્ય ક્યારેય બહાર નહીં આવે

March 23, 2021
118
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ : ભારત કે ન્યૂઝીલેન્ડ માટે માર્ગ આસાન નથી
સ્પેશિયલ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ : ભારત કે ન્યૂઝીલેન્ડ માટે માર્ગ આસાન નથી

March 20, 2021
84
Next Post
સુરતમાં ડાયમંડના વેપારીની દીકરીનું સયંમના માર્ગે પ્રયાણ

સુરતમાં ડાયમંડના વેપારીની દીકરીનું સયંમના માર્ગે પ્રયાણ

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ
નેશનલ

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

by Editors
April 8, 2022
92
મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ
નેશનલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

by Editors
April 8, 2022
322
આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો
નેશનલ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

by Editors
April 8, 2022
429
અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી
નેશનલ

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

by Editors
April 8, 2022
531
બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા
નેશનલ

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

by Editors
April 8, 2022
2.2k

બેંગ્લોરમાં કલયુગી પિતાએ હિસાબમાં ગરબડથી ગુસ્સે થઇ પુત્રને જીવતો સળગાવી દીધો, સીસીટીવી વાયરલ

મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન નથી થતી તો ભારતમાં શા માટે? અનુરાધા પૌડવાલે સવાલ ઉભાં કરતા વિવાદ

આશારામ ફરી વિવાદમાં! આ રાજ્યના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

અમે બોમ્બ ફિટ કરી દીધાં છે, હવે બધું તમારા હાથમાં છેઃ આ શહેરની 6 શાળાને ધમકી મળી

બીજેપી ધારાસભ્ય અને પુત્ર વિશે સોશિયલ મીડિયામાં લખનાર પત્રકાર સહિતના લોકોને પોલીસે અર્ધનગ્ન કર્યા

IPL 2022માં સૌથી વધુ રન બનાવનારા આ ત્રણ ખેલાડીઓમાં છે જબરદસ્ત કનેક્શન, જાણીને ચોકીં ઉઠશો

  • વાપીના હ્યુબરવાળા સુરેશ પટેલ તથા હરિયા પરિવારના તુષાર હરિયાનાં દિકરી-દિકરાનાં ગોવા ખાતે લગ્નમાં જઇ આવેલા વાપીનાં ૫૦ ઉદ્યોગપતિ, વેપારીઓ કોરોના સંક્રમિત થતાં હાહાકાર

    0 shares
    Share 0 Tweet 0
  • શેત્રુંજ્ય તીર્થ પર પુજાની વહીવટી તંત્રની મંજૂરી : ભારતભરનાં જૈન સંઘોએ મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીનો આભાર માન્યો

    0 shares
    Share 0 Tweet 0
  • ગુજરાતના આ વિસ્તારમાં વીજ કટોકટી, બપોર પછી વીજ કાપ માટે તૈયાર રહો

    0 shares
    Share 0 Tweet 0
  • વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રના કપરાડા તાલુકાના ગજેન્દ્રકુમાર બન્યા ડે. કલેક્ટર

    0 shares
    Share 0 Tweet 0
  • શોખીનો માટે સારાં સમાચાર, દ.ગુજરાતના આ ચાર ગામડાઓ કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બનશે

    0 shares
    Share 0 Tweet 0
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
358142
Your IP Address : 18.207.132.226
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link