સોમનાથ ખાતે આગામી તહેવારો સબબ પાર્કિંગ ઝોન અંગે સ્થળ નિયત કરાયા સોમનાથ મંદિર ખાતે આગામી દિવાળીના તહેવાર દરમિયાન યાત્રાળુઓની સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.વી.લીંબાસીયા દ્વારા અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(બી)(સી) હેઠળ મળેલ સત્તાની રૂઈએ નો-પાર્કિંગ ઝોન અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.
જેમા સોમનાથ મંદિર ખાતે સફારી બાપાસ તરફથી થઈ ગુડલક સર્કલ થઈ વેણેશ્વર થઈ તમામ પ્રકારના વાહનો એકમાર્ગીય રીતે ન્યુ ગૌરીકુંડ પાર્કિંગમાં આવશે અને ત્યાંથી વાહનો પાર્કિંગમાં મુકી માણસો દર્શન કરી પરત ફરે ત્યારે પાર્કિંગમાંથી વાહનો લઈ ત્રિવેણી રોડ ઉપર આવેલ પ્રજાપતિ ધર્મશાળા પાસે નવા બનેલ સિમેન્ટ રોડ ઉપર થઈ સદભાવના ગ્રાઉન્ડમાં થઈ સારી બાયપાસથી બહાર નિકળી જઈ તે મુજબ વન-વે રોડ જાહેર કરવા નવા ગુડલક સર્કલથી લઈ હમીરજી સર્કલ સુધી તથા હમીરજી સર્કલથી ત્રિવેણી રોડ ઉપર ત્રિવેણી સુધી ટ્રાફિક રહેતો હોય, આ વિસ્તારને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામું તા.૧૦/૨૦૨૨ ના રોજ રાત્રીથી તા.૨૮/૧૦/૨૦૨૨ ના રોજ કલાક ૦૮:૦૦ સુધી અમલમાં રહેશે. આ હુકમ ફરજ ઉપરના સરકારી વાહનો, એસ.ટી. બસો, મેડીકલ ટીમના વાહનો તથા ઈમરજન્સી સેવાઓને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહીતાની કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.