Saturday, March 25, 2023
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
e-Paper
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • More
    • ઓફબીટ
    • વિડિયો
    • બૂક રિવ્યૂ
No Result
View All Result
DAKSHIN GUJARAT VARTMAN (દક્ષિણ ગુજરાત વર્તમાન)
ADVERTISEMENT
Home સ્પેશિયલ

પાંચ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસના ડૂબતા જહાજમાં નાસભાગ

by Editors
March 4, 2021
in સ્પેશિયલ
Reading Time: 2min read
પાંચ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસના ડૂબતા જહાજમાં નાસભાગ
134
VIEWS
Share on FacebookShare on Twitter
ADVERTISEMENT

રાજકીય મંચ ઉપર કેટલું બધું બની ગયું એક અઠવાડિયાના ગાળામાં! એક તરફ ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં, તો બીજી તરફ દક્ષિણના ટચુકડા કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી (પોંડિચેરી)માં કોંગ્રેસે સત્તા ગુમાવી દીધી, તો ત્રીજી તરફ ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ- એમ પાંચ વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો અને લાસ્ટ બટ નોટ લીસ્ટ – કોંગ્રેસના 23 “પીઢ” નેતાઓએ જમ્મુમાં એકત્ર થઈ કેસરિયા સાફા પહેરીને કોંગ્રેસને પુનઃજીવિત કરવાની અસ્ટમપસ્ટમ વાતો કરી.

તો આજે આપણે આ છેલ્લા મુદ્દા વિશે વિગતે વાત કરીએ. કોંગ્રેસની મુશ્કેલી એ છે કે, તેને રાષ્ટ્રીય સ્તરના પક્ષ તરીકે ઓળખ જાળવી રાખવી છે ખરી, પરંતુ એ માટે રાષ્ટ્રીય સ્તરે નેતાઓ તથા કાર્યકરોમાં ઉત્સાહ અને ઊર્જા જગાવી શકે એવા નેતૃત્વનો સદંતર અભાવ છે. પક્ષ તેની પારિવારિક મજબુરીમાંથી બહાર નીકળી શકતો નથી અને હાલના તબક્કે એકપણ પારિવારિક નેતા સબળ અને સક્ષમ નથી. સોનિયા ગાંધી ઉંમર અને બીમારીને કારણે સક્રિય રહી શકતા નથી. રાહુલ ગાંધી પાસે જાણકારીનો અભાવ હોય છે અને તે દરેક ભાષણમાં ગોખેલા પાંચ વાક્યથી આગળ બોલી શકતા નથી. પ્રિયંકા વાડરા કદાચ તેમની પોતાની પારિવારિક જવાબદારીઓને કારણે પૂરતો સમય નહીં આપી શકતા હોય.

આ સંજોગોમાં વધારે ચિંતાજનક બાબત એ છે કે, કોંગ્રેસ એક તરફ વાતો લોકશાહીની કરે છે પરંતુ પક્ષનું નેતૃત્વ ગાંધી ખાન-દાન સિવાય બીજા કોઈ સક્ષમ નેતાની પાસે જાય એ મંજૂર નથી. કોંગ્રેસના 99 ટકા નેતાઓ-કાર્યકરો પક્ષનું નેતૃત્વ ગાંધી ખાન-દાન પાસે જ રહે તેવું ઇચ્છે છે કેમ કે આ નેતાઓ અને કાર્યકરો પ્રજાની અને એ દ્વારા દેશની સેવા કરવાની કોઈ જવાબદારી લેવા માગતા નથી. (ટીવી ઉપર રાજકીય વિશ્લેષણ માટે જવાનું થાય ત્યારે ઘણી વખત કોંગ્રેસના પ્રવકતાઓ મને ખાનગીમાં કહેતા હોય છે કે અમારા પક્ષમાં બધા નેતા જ છે, કાર્યકર કોઈ નથી.) કોંગ્રેસના આ 99 ટકા નેતાઓ-કાર્યકરો એ બાબતની ખાસ કાળજી લે છે કે, હાર-જીતની જવાબદારી તેમના ઉપર ન આવે. મીડિયા આ દરેક જવાબદારી છેવટે ગાંધી ખાન-દાન ઉપર ઢોળી દે, પરિણામે સ્થાનિક નેતાઓ-કાર્યકરો ટીકામાંથી બચી જાય. આવી સ્થિતિમાં કોંગ્રેસના જે નેતાઓ-કાર્યકરોના આત્મા ડંખે એ લોકો કાંતો પક્ષાંતર કરી લે અથવા વધારે વગદાર હોય તો પોતાનો પ્રાદેશિક પક્ષ બનાવી લે.

ADVERTISEMENT

કોંગ્રેસમાં આ પરંપરા વડાપ્રધાન પંડિત લાલબહાદુર શાસ્ત્રીના તાશ્કંદમાં થયેલા આકસ્મિક નિધન બાદથી જોવા મળે છે. તે સમયે કોંગ્રેસના વગદાર – સક્ષમ – મજબૂત નેતાઓએ એકબીજાને વડાપ્રધાન બનવાથી દૂર રાખવા ઈન્દિરા ગાંધીને નેતા તરીકે આગળ કરીને કોંગ્રેસ પક્ષમાં કાયમી કાયમી ખુશામત અને કાયમી જૂથબંધીનાં બીજ રોપી દીધાં. છ દાયકા વિતવા છતાં હજુ આજે પણ આ પક્ષ ખુશામત અને જૂથબંધીમાંથી બહાર નીકળી શક્યો નથી. છૂટાછવાયા નેતાઓ નાસભાગ કરતા રહ્યા છે, એ સિવાય આટલા બધા સિનિયર નેતાઓએ આટલા મોટા પાયે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હોય એવું 1969 પછી પહેલી વાર બન્યું છે. હકીકત એ છે કે, 1969ના એ વિભાજન બાદ કોંગ્રેસ પક્ષનું અસ્તિત્વ લગભગ નષ્ટ થઈ ગયું હતું કેમ કે સંસ્થા કોંગ્રેસના નેતાઓએ ઈન્દિરા ગાંધીને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા. ત્યારબાદ જે પક્ષ બચ્યો તે કોંગ્રેસ (આઈ) અર્થાત ઈન્દિરા કોંગ્રેસ તરીકે ઓળખાયો જે આજ સુધી યથાવત્ છે. એ વાત અલગ છે કે, પક્ષે ચાલાકીથી તેને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (આઈ.એન.સી.) નામ આપી દીધું છે.

ખેર, તો હાલ જે 23 સિનિયર નેતાઓ ગામે-ગામ ફરીને કોંગ્રેસને બચાવવાની વાતો કરી રહ્યા છે અને આગામી સમયમાં કરવાના છે તેમાં ભાજપે કે તેના સમર્થકોએ ખુશ થવા જેવું કશું નથી. આમાંના એકાદ-બે નેતા ઉપર પણ જો કોંગ્રેસ શિસ્તની ચાબુક ઉગામશે એટલે બાકીના બધા પૂંછડી દબાવીને શાંત થઈ જશે અને ગાંધી ખાન-દાન પ્રત્યે ફરી નિષ્ઠા બતાવવા લાગશે. આ જૂથનું નેતૃત્વ ગુલામ નબી આઝાદ કરી રહ્યા છે. ગયા મહિને રાજ્યસભામાંથી તેમની નિવૃત્તિ વખતે વડાપ્રધાન મોદીએ જે રીતે તેમના વખાણ કર્યા તેના ઉપરથી એટલું સ્પષ્ટ છે કે, આઝાદ ટૂંક સમયમાં ગમેત્યારે કોઈ રાજ્યના રાજ્યપાલ બનશે. એમ કરીને પોતે ભાજપમાં જોડાયા નથી એવું સેક્યુલર બ્રિગેડને બતાવી શકશે અને સાથે કોંગ્રેસને લપડાક પણ મારી શકશે. બાકી કપિલ સિબ્બલ હોય કે મનીષ તિવારી હોય કે રાજ બબ્બર હોય – કોઇની પાસે વ્યાપક જનસમર્થન નથી અને તેથી કોંગ્રેસના ગાંધી ખાન-દાનને આ 23 પીઢ નેતાઓનો ડર લાગે એવું કોઈ કારણ નથી.

હકીકત એ છે કે, પરિવારના કોઈ સભ્ય હવે કોંગ્રેસને જીત અપાવી શકે એવું નથી એ દીવા જેવું સ્પષ્ટ થઈ ગયું છે. છેલ્લાં છ-સાત વર્ષમાં દરેક ચૂંટણીમાં હાર પછી આ વરિષ્ઠ નેતાઓએ જ મીડિયા સમક્ષ આવીને પક્ષનો અને ગાંધી ખાન-દાનનો બચાવ કરવો પડે છે. પણ હવે એ બધા થાક્યા છે. જી-23માંના કોઈ નેતા પક્ષમાંથી રાજીનામાં આપી દે એવી શક્યતા ધૂંધળી છે, પરંતુ ચાર રાજ્ય તથા પુડુચેરી વિધાનસભા ચૂંટણી પછી અર્થાત બીજી મે, 2021 પછી કમ સે કમ આ લોકો એટલું તો કહી શકશે કે, “અમે તો ક્યારના પક્ષના નેતૃત્વને ચેતવતા હતા પણ અમારું કોઇએ સાંભળ્યું નહીં, તેથી આ પરિણામ આવ્યું.” અને એ રીતે આ બધા પોતાની વ્યક્તિગત છબિ બચાવવા હાલ કોંગ્રેસના ડૂબતા જહાજમાંથી કૂદી જવા માટે કિનારે આવીને ઊભા રહી ગયા છે, પણ કૂદશે નહીં એ પણ એટલું જ સાચું છે.

*રાજકાજ*

અલકેશ પટેલ

ShareTweetSend
WhatsApp news
ADVERTISEMENT
Previous Post

ભારતમાં ફરી કોરોનના કેસ વધવા માંડ્યા, આ રાજ્યમાં 31 માર્ચ સુધી લોકડાઉન

Next Post

જસપ્રીત બુમરાહે ક્રિકેટમાંથી બ્રેક લીધો, લગ્નની અટકળો શરૂ

Related Posts

Airtel Vs Jio Vs Vi: 300 રૂપિયાથી ઓછા પ્રીપેડ વપરાશકર્તાઓ માટે આ શ્રેષ્ઠ દૈનિક ડેટા પ્લાન છે, હવે રિચાર્જ કરો
સ્પેશિયલ

Airtel Vs Jio Vs Vi: 300 રૂપિયાથી ઓછા પ્રીપેડ વપરાશકર્તાઓ માટે આ શ્રેષ્ઠ દૈનિક ડેટા પ્લાન છે, હવે રિચાર્જ કરો

October 4, 2022
20
NMT 5: વૈજ્ઞાનિકોએ શોધી કાઢી કોરોનાની દવા NMT-5, વાયરસ પોતાનો જ કરશે ખાત્મો
સ્પેશિયલ

ચંપકગુરુ સુસંસ્કાર માધ્યમિક શાળાના બાળકોએ રાસ-ગરબા રમી નવરાત્રિની ઉજવણી કરી

October 2, 2022
14
PM Modi Birthday: PM Modi સાથે જોડાયેલી આ 10 ખાસ વાતો બહુ ઓછા લોકો જાણે છે, તમારે પણ જાણવી જોઈએ
સ્પેશિયલ

PM Modi Birthday: PM Modi સાથે જોડાયેલી આ 10 ખાસ વાતો બહુ ઓછા લોકો જાણે છે, તમારે પણ જાણવી જોઈએ

September 17, 2022
12
બિસ્માર રોડે ગ્રામજનોને રોડે ચડાવ્યા હવે સરકારને રોડે ચડાવશે .
સ્પેશિયલ

Mutual Fund હવે રોકાણકારોની પ્રથમ પસંદગી નથી, 10 મહિનામાં સૌથી ઓછું રોકાણ

September 9, 2022
17
કેન્દ્ર સરકારે દિલ્હીના રાજપથનું નામકરણ કરી નવું નામ કર્તવ્ય પથ કર્યું
નેશનલ

કેન્દ્ર સરકારે દિલ્હીના રાજપથનું નામકરણ કરી નવું નામ કર્તવ્ય પથ કર્યું

September 6, 2022
17
ટ્વિટટર ફોલોવર્ષની રેસમાં રાહુલ ગાંધીને પછાડી આ નેતા આગળ આવી ગયા
નેશનલ

ટ્વિટટર ફોલોવર્ષની રેસમાં રાહુલ ગાંધીને પછાડી આ નેતા આગળ આવી ગયા

September 6, 2022
16
Next Post
જસપ્રીત બુમરાહે ક્રિકેટમાંથી બ્રેક લીધો, લગ્નની અટકળો શરૂ

જસપ્રીત બુમરાહે ક્રિકેટમાંથી બ્રેક લીધો, લગ્નની અટકળો શરૂ

Recent Posts

  • ભારતે અવકાશની દુનિયામાં રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું
  • આ છે દેશનું સૌથી પ્રદૂષિત શહેર, આજે પણ આ વિસ્તારોમાં હવાનું સ્તર ખતરનાક, જાણો AQI
  • આલિયા ભટ્ટ, બિપાશા બાસુ પછી આ પ્રેગ્નન્ટ એક્ટ્રેસે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ !
  • IND vs NZ Head To Head: ન્યૂઝીલેન્ડ પ્રવાસ વિરાટ-રોહિત જેવા દિગ્ગજ ખેલાડી ટીમની બહાર
  • અજય દેવગનની ‘દ્રશ્યમ 2’ એ રિલીઝ પહેલા જ બનાવ્યો રેકોર્ડ, આટલા કરોડનું એડવાન્સ બુકિંગ!
ADVERTISEMENT
DAKSHIN GUJARAT VARTMAN
379908
Your IP Address : 18.206.92.240
Twitter
Facebook-f
Instagram
Telegram
Youtube

 © 2021 દક્ષિણ ગુજરાત વર્તમાન All Rights Reserved. Created by TheWebEmcee.in

No Result
View All Result
  • ઇન્ટરનેશનલ
  • નેશનલ
  • ગુજરાત
  • દક્ષિણ ગુજરાત
  • રમત-ગમત
  • હેલ્થ-ફૂડ
  • સાયન્સ-ટેક
  • મનોરંજન
  • સ્પેશિયલ
  • બૂક રિવ્યૂ
  • ઓફબીટ
  • વિડિયો
  • epaper

© 2021 dgvartman.com | Created by TheWebEmcee.

Stay Connected!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ
SUBSCRIBE
close-link