આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ,એકતા નગર કેવડિયા ખાતે લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુએનના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસની વિશેષ ઉપસ્થિતિમાં મિશન લાઇફનું લોન્ચિંગ વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વરદ હસ્તે કરવામાં આવ્યું. દેશના પ્રઘાનસેવક નરેન્દ્રભાઇ મોદી સંબોધન કરતા જણાવ્યું કે, યુએનના મહાસચિવ એન્ટોનિયાજી માટે ભારત તો બીજા ઘર જેવું છે. તેમણે યુવા અવસ્થામાં ઘણી વખત ભારતનો પ્રવાસ કર્યો છે. ગોવા સાથે તેમના પારિવારીક સબંધો છે. મિશન લાઇફના લોન્ચિંગના કાર્યક્રમ પછી અનેક દેશ આ સંકલ્પ સાથે જોડાશે. કલાઇમેન્ટ ચેન્જની સફળતમાં યુનિટી મોટુ ફેકટર છે. આ કાર્યક્રમનું ગુજરાતમાં આયોજન થયું છે જેમાં ગુજરાત એ રાજયોમાં સમાવેશ થાયો છે જેને સૌથી પહેલા રીન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ પ્રોટેકશનની દિશામાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. નહેરના સોલર પેનલ લાગવવાની હોય કે સુકાભટ વિસ્તારોમાં જળસ્તર વઘારવા વોટર કન્ઝર્વેશનનું અભિયાનમાં ગુજરાત હમેંશા અગ્રેસર રહ્યુ છે. મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, ક્લાઇમેટ ચેન્જને લઇ એવી માન્યતા બાંઘી દીધી છે કે કે આ વિષય માત્ર પોલીસીનો જ છે.
સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આવા વિષય પર તેમની ભૂમિકા મહત્વની છે પરંતુ હવે આ વિષય પર લોકો ઘણા ગંભીર બન્યા છે. ક્લાઇમેટ ચેન્જથી થઇ રહેલો બદલાવ લોકો પણ તેમની નજીક મહેસુસ કરી રહ્યા છે. આજે ગ્લેશિયર ઓગળી રહ્યા છે,સમુદ્રનું જળસ્તર વઘી રહ્યુ છે,આપણી નદીઓ સુકાઇ રહી છે. વાતાવરણ પણ અનિશ્ચિત થઇ રહ્યો છે જેનો બદલાવ લોકોને વિચારવા મજબૂર કરી રહ્યા છે. ક્લાઇમેટ ચેન્જના મુદ્દાને માત્ર પોલીસી મેકિંગના લેવલ પર ન મુકી રખાય,.એક વ્યકિત, એક પરિવાર,એક સમુહએ ક્લાઇમેટ ચેન્જ વિષય પર કોઇને કોઇ જવાબદારી લેવી જ જોઇએ કે પૃથ્વીની સુરક્ષા કેવી રીતે કરાય. મિશન લાઇફ આ ધરતીની સુરક્ષા માટે જન જનની શક્તિઓને જોડે છે. મિશન લાઇફ ક્લાઇમેટ ચેન્જ થકી પર્યાવરણ મુદ્દે પરિવર્તન કરવાનો વિસ્તાર કરી રહ્ય છીએ.
મિશન લાઇફથી પ્રેરણા આપશે કે નાના-નાના પ્રયત્નોથી મોટુ પરિવર્તન કરી શકાય છે.પોતાની લાઇફમાં પરિવર્તન કરીને એન્વાયરમેન્ટની રક્ષા કરી શકાય છે મિશન લાઈફમાં દરેક વ્યક્તિ યોગદાન આપી શકે છે. ભૂતકાળમાંથી શીખીને સારા ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ,ભારતે LED બલ્બના માધ્યમે પ્રદુષણ ઘટાડ્યુ છે.Reduce, Reuse, Recycle અને સર્ક્યુલર ઈકોનોમી હજારો વર્ષોથી ભારતીયોનું લાઈફસ્ટાઈલનું અંગ રહ્યુ છે.. આજે ભારતમાં વર્ષમાં પ્રતિ વ્યકિત કાર્બન ફૂટપ્રિન્ટ અંદાજે દોઢ ટન છે તો દુનિયામાં આશરે 4 ટન પ્રતિ વર્ષ છે. ભારતે ઉજ્વલા યોજનાથી કોયલા અને લાકડાથી થતા ઘૂમાડાથી મુક્તિ મળે.આઝાદીના અમૃત સમયે 75 અમૃત સરોવર બનાવવાનું અભિયાન શરૂ કર્યુ છે. ભારત ગ્રીન એનર્જી પણ ચોથા નંબરે છે, તો સોલર એનર્જીમાં પાંચમાં નંબરે છે. પાછલા 7 થી 8 વર્ષોમાં ભારતની રિન્યુઅલ એનર્જની ક્ષમતા 290 ટકા વધી છે. આજે સંયુકત રાષ્ટ્રના સમર્થનને કારણે દુનિયાના કોરોડો લોકોના સ્વસ્થ્ય જીવનની પ્રેરણા યોગ આપે છે. જે પ્રકૃતિની રક્ષા કરે છે પ્રકૃતિ તેની રક્ષા કરે છે.