• Mon. Mar 17th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

પાકિસ્તાનના ક્વેટામાં રેલવે સ્ટેશનની અંદર જોરદાર વિસ્ફોટ, 21 લોકોનાં મોત અને 30થી વધુ ઘાયલ

પાકિસ્તાનના ક્વેટામાં રેલવે સ્ટેશનની અંદર જોરદાર વિસ્ફોટ થયો છે, જેમાં 21 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ક્વેટાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) મોહમ્મદ બલોચે મીડિયાને જણાવ્યું કે આ ઘટનામાં 21 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

તેમણે વધુમાં કહ્યું કે આ ઘટના “આત્મઘાતી વિસ્ફોટ” જેવી લાગે છે, પરંતુ કંઈપણ કહેવું વહેલું છે. વિસ્ફોટનું સ્વરૂપ જાણવા માટે તપાસ ચાલી રહી છે. અગાઉ, ઈધી રેસ્ક્યુ સર્વિસના વડા ઝીશાને કહ્યું હતું કે વિસ્ફોટ રેલ્વે સ્ટેશનની અંદરના પ્લેટફોર્મ પર થયો હતો.

બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે એક નિવેદનમાં જણાવ્યું કે પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રિંદે કહ્યું કે વિસ્ફોટની પ્રકૃતિની તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે અને ઘટનાનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

સરકારી અધિકારીએ કહ્યું કે ત્યાંની હોસ્પિટલોમાં ‘ઇમરજન્સી’ લાદવામાં આવી છે. તેમણે કહ્યું કે ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ઘટનાના ફૂટેજમાં રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર કાટમાળ દેખાઈ રહ્યો છે જે સમયે પ્લેટફોર્મ પરથી એક ટ્રેન પેશાવર જવા માટે તૈયાર હતી.