Wednesday , 10 June 2026
Home ભારત Video : ધાબા પર બોમ્બ બનાવી રહ્યો હતો હિસ્ટ્રીશીટર ગુનેગાર, બ્લાસ્ટમાં દાઝી જવાથી મોત, માતાનું પણ નિધન
ભારત

Video : ધાબા પર બોમ્બ બનાવી રહ્યો હતો હિસ્ટ્રીશીટર ગુનેગાર, બ્લાસ્ટમાં દાઝી જવાથી મોત, માતાનું પણ નિધન

ઓડિશાના ભુવનેશ્વરમાં એક અત્યંત ભયાનક ઘટના સામે આવી છે. એરફિલ્ડ વિસ્તારમાં રહેતો એક હિસ્ટ્રીશીટર ગુનેગાર કોઈની સાથે બદલો લેવા માટે ધાબા પર બેસીને બોમ્બ બનાવી રહ્યો હતો, ત્યારે જ જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં હિસ્ટ્રીશીટર સહિત પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન હિસ્ટ્રીશીટર અને તેની માતાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકો હજુ હોસ્પિટલમાં દાખલ છે.

શું હતી સમગ્ર ઘટના?

એરફિલ્ડ વિસ્તારમાં રહેતો હિસ્ટ્રીશીટર શહનવાઝ મલિક (26) પોતાના ઘરના ધાબા પર ક્રૂડ બોમ્બ બનાવી રહ્યો હતો. તે સમયે તેના પરિવારના સભ્યો પણ ત્યાં હાજર હતા. અચાનક ધડાકો થતા બધા ગંભીર રીતે દાઝી ગયા હતા. શહનવાઝનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે તેની માતા લિઝાનુન બીબીએ પણ ગત મંગળવારે કટકની SCB મેડિકલ કોલેજમાં દમ તોડ્યો હતો.

આ બ્લાસ્ટમાં શહનવાઝની મંગેતર તૃપ્તિમયી મહલ (23) અને તેનો મિત્ર અમિયા મલ્લિક (27) પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ ઘટના 27 જાન્યુઆરીએ બની હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે ખૂબ જ ડરામણા છે:

  • વીડિયોમાં એક મહિલાના હસવાનો અવાજ સંભળાય છે અને તેના તરત બાદ જોરદાર બ્લાસ્ટ થાય છે.
  • બ્લાસ્ટ પછી નાસભાગ મચી જાય છે.
  • ધડાકો એટલો ભયાનક હતો કે ત્યાં હાજર મહિલાઓના કપડાં પણ સળગી ગયા હતા.
  • શહનવાઝ મલિક ખરાબ રીતે દાઝી ગયા બાદ બળતરાથી બચવા માટે પાણીનો સહારો લેતો જોવા મળે છે.

મળેલી માહિતી મુજબ, શહનવાઝ મલિક કોઈ જૂની અદાવતનો બદલો લેવાના ઈરાદે આ દેશી બોમ્બ બનાવી રહ્યો હતો. પરંતુ તેની આ ઘાતક યોજના તેના અને તેના પરિવાર પર જ ભારે પડી ગઈ. અત્યારે તેની મંગેતર અને મિત્ર ખાનગી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

Related Articles

ભારત

6 જૂનના રોજ “CJP” જંતર મંતર પર પ્રદર્શન કરશે, જંતર-મંતર પર સીધા જઈને ન કરી શકાય પ્રદર્શન, જાણો શું છે નિયમો

“કોકરોચ જનતા પાર્ટી” (CJP) એ 6 જૂને દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરવાની...

ભારત

“ઓપરેશન સિંદૂર હજુ પૂરૂં નથી થયું, જો દુસ્સાહસ કર્યું તો…”; મિડલ ઈસ્ટમાં જારી યુદ્ધ વચ્ચે પાકિસ્તાનને રાજનાથ સિંહની ચેતવણી

રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓને જોતા આપણો પડોશી...

ભારત

ઇચ્છામૃત્યુની મંજૂરી મેળવનાર 31 વર્ષીય હરીશ રાણાના અંતિમ સંસ્કાર, 13 વર્ષ કોમામાં રહ્યા બાદ નિધન

દિલ્હીમાં નિષ્ક્રિય ઇચ્છામૃત્યુની પરવાનગી મેળવનાર પ્રથમ વ્યક્તિ હરીશ રાણાના અંતિમ સંસ્કાર કરવામાં...

ભારત

નેશનલ હાઈવે પર દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સને ટ્રકે ટક્કર મારી, 7 લોકોના કરુણ મોત

અસમના સોનિતપુરમાં ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે થયેલી ટક્કરમાં સાત લોકોના મોત થયા...