Saturday , 6 June 2026
Home ગુજરાત હરિત ચેતના સાથે સેવાનું અનોખું અભિયાન : વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ, સ્વચ્છતા અને રક્તદાનનું પ્રેરક સંગમ
ગુજરાત

હરિત ચેતના સાથે સેવાનું અનોખું અભિયાન : વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ, સ્વચ્છતા અને રક્તદાનનું પ્રેરક સંગમ

દાંતી, ૫ જૂન ૨૦૨૬: સંત નિરંકારી સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજની પાવન પ્રેરણાથી સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી અંતર્ગત સુરત ઝોનમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અને રક્તદાન જેવા ત્રણ જનહિતકારી સેવા કાર્યોનું આયોજન કર્યું હતું.

ઝોનલ ઈન્ચાર્જ શ્રી ઓંકાર સિંહે જણાવ્યું કે સાપુતારા વિસ્તારમાં ૧૦૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું, સ્વચ્છતા અભિયાન દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો તથા ગિરીનગર, સાપુતારામાં આયોજિત રક્તદાન શિબિરમાં ૫૦ યુનિટ નિરંકારી ભક્તોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને માનવતાની સેવાનો પરિચય આપ્યો.

આ અવસરે સ્વયંસેવકો, સેવાદળના સભ્યો અને સ્થાનિક નાગરિકોએ ‘દરેક કણમાં પ્રભુના દર્શન’ની ભાવના સાથે સહભાગી થતાં આ સંદેશ આપ્યો કે ‘‘પ્રકૃતિની સેવા એ જ પ્રભુ સેવા છે.’’ જાગૃતિ રેલી, માનવ શૃંખલા અને જનસંપર્ક પ્રવૃત્તિઓ દ્વારા પ્લાસ્ટિક-મુક્ત તથા સ્વચ્છ વાતાવરણ પ્રત્યે જનચેતનાનો સંચાર કરવામાં આવ્યો.

સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સચિવ શ્રી જોગીન્દર સુખીજાએ જણાવ્યું કે મિશન વર્ષ ૨૦૧૪થી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમની થીમ અનુસાર પર્યાવરણ સંરક્ષણ અને જનજાગૃતિના વિવિધ અભિયાનો સંચાલિત કરી રહ્યું છે. આ જ ક્રમમાં આ વર્ષે ઉત્તરાખંડના મસૂરી, ઋષિકેશ, લેન્સડાઉન, નૈનીતાલ તથા ટિહરી ઝીલ, હિમાચલ પ્રદેશના શિમલા, મનાલી તથા ધર્મશાળા, ગુજરાતના સાપુતારા, રાજસ્થાનના ઉદયપુર, મહારાષ્ટ્રના મહાબલેશ્વર, પંચગની, ખંડાળા, લોનાવલા, પન્હાળા તથા સોમેશ્વર, સિક્કિમના ગેંગટોક તથા કર્ણાટકના નંદી હિલ્સ સહિત ૧૮ મુખ્ય સ્થળો પર આ અભિયાન આયોજિત કરવામાં આવ્યું છે. આ તમામ સ્થળો “હરિત ચેતના, સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક-મુક્ત ભારત”ના પ્રેરણાસ્ત્રોત બનશે.

નિ:સંદેહ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અને રક્તદાનનું આ ત્રિવેણી સેવા અભિયાન માત્ર વર્તમાનની જરૂરિયાત નથી, પરંતુ આવનારી પેઢીઓ પ્રત્યે અમારી સામૂહિક જવાબદારીનું પ્રતીક છે.

Related Articles

ગુજરાત

PM મોદીજીનું માર્ગદર્શન, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનાં અથાક પ્રયાસો અને જનતાનો વિશ્વાસ બન્યો વિકાસનો આધાર – આર. વી. મહેતા

👉ઐતિહાસિક વિકાસ યોજનાઓનાં લોકાર્પણ અને શિલાન્યાસની સાક્ષી બની દીવની જનતા, દમણ ખાતે...

ગુજરાત

આજથી શરૂ થયું ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’, ગુજરાત પોલીસ સાયબર ગુનેગારો સામે એક્શન મોડમાં

ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ઠગાઈના કેસોને લઈને રાજ્ય સરકાર અને...

ગુજરાત

ગુજરાત સરકારે 72 IAS અધિકારીઓની બદલીના કર્યા આદેશ, જોઈ લો બદલીની સંપૂર્ણ યાદી

ગુજરાત સરકાર દ્વારા 13 મે, 2026ના રોજ રાજ્યનાં 72 IAS અધિકારીઓની બદલી...

ગુજરાત

ગુજરાતમાં રાજકીય ગરમાવો : ભાજપના ‘ડર’થી કોંગ્રેસે આ શહેરના 60થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય કે અન્ય કોઈ મહત્વની રાજકીય હિલચાલ, પક્ષપલટા...