Friday , 19 June 2026
Home ગુજરાત ગણદેવી તાલુકા અનાવિલ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો
ગુજરાત

ગણદેવી તાલુકા અનાવિલ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો

ગણદેવી તાલુકા અનાવિલ મંડળ દ્વારા અનાવિલ વાડી, ગણદેવી ખાતે તેજસ્વી તારલાઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ધોરણ 10થી લઈને ડોક્ટરેટ સુધી અભ્યાસમાં જલવંત સફળતા મેળવનાર કુલ 67 વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટીફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધારવાનો અને તેમને શિક્ષણના ક્ષેત્રે વધુ આગળ વધવા માટે પ્રેરણા આપવાનો રહ્યો હતો. આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત આચાર્ય રાજેન્દ્રભાઈ નાયક વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
સમારંભમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ગણદેવી તાલુકા અનાવિલ મંડળના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે મંડળના પ્રમુખ અલ્પેશભાઈ નાયક, મંત્રી આશિષ દેસાઈ, ઉપપ્રમુખ મેહુલભાઈ નાયક, સહમંત્રી આશિષ વશી ખજાનચી હેમલ દેસાઈ તેમજ મંડળના ટ્રસ્ટી શ્રી કેયુરભાઈ દેસાઈ, રાકેશભાઈ નાયક, મહેશભાઈ નાયક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સન્માન સમારંભ દ્વારા વિદ્યાર્થીઓને તેમની મહેનત બદલ માન મળ્યું હતું અને આવનારા સમયમાં વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે તેમને પ્રેરણા મળી હતી.

Related Articles

ગુજરાત

PM મોદીજીનું માર્ગદર્શન, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનાં અથાક પ્રયાસો અને જનતાનો વિશ્વાસ બન્યો વિકાસનો આધાર – આર. વી. મહેતા

👉ઐતિહાસિક વિકાસ યોજનાઓનાં લોકાર્પણ અને શિલાન્યાસની સાક્ષી બની દીવની જનતા, દમણ ખાતે...

ગુજરાત

આજથી શરૂ થયું ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’, ગુજરાત પોલીસ સાયબર ગુનેગારો સામે એક્શન મોડમાં

ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ઠગાઈના કેસોને લઈને રાજ્ય સરકાર અને...

ગુજરાત

ગુજરાત સરકારે 72 IAS અધિકારીઓની બદલીના કર્યા આદેશ, જોઈ લો બદલીની સંપૂર્ણ યાદી

ગુજરાત સરકાર દ્વારા 13 મે, 2026ના રોજ રાજ્યનાં 72 IAS અધિકારીઓની બદલી...