Friday , 26 June 2026
Home ભારત CBIની દેશવ્યાપી મોટી કાર્યવાહી : 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ દરોડા
ભારત

CBIની દેશવ્યાપી મોટી કાર્યવાહી : 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ દરોડા

ડિજિટલ અરેસ્ટ સ્કેમ સામે કેન્દ્રિય તપાસ બ્યુરો (CBI)એ આજે દેશવ્યાપી સ્તરે મોટી કાર્યવાહી હાથ ધરી છે. CBIએ ‘ઓપરેશન ચક્ર’ અંતર્ગત 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ એકસાથે દરોડા અને તપાસ અભિયાન ચલાવ્યું છે.

આ ઓપરેશન માટે CBIએ 60 વિશેષ ટીમોનું ગઠન કર્યું હતું. આ ટીમોએ ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, તમિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આસામ, પશ્ચિમ બંગાળ, મણિપુર, કર્ણાટક અને ઓડિશા સહિતના રાજ્યોમાં કાર્યવાહી કરી હતી.

CBI અનુસાર, આ અભિયાન દેશભરમાં નોંધાયેલા 200થી વધુ ડિજિટલ અરેસ્ટ કૌભાંડના કેસોની તપાસનો મહત્વપૂર્ણ ભાગ છે. તપાસ દરમિયાન શેલ કંપનીઓની રચના અને ગેરકાયદેસર બેંક ખાતાઓ ખોલી ઠગાઈની રકમને મની લોન્ડરિંગ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે.

આ કેસમાં CBIએ બે શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ડિજિટલ અરેસ્ટ દ્વારા લોકો સાથે કરોડોની ઠગાઈ કરીને મળેલી રકમને વિવિધ બેંક ખાતાઓ મારફતે ટ્રાન્સફર અને છુપાવવાનું કામ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

CBIનું કહેવું છે કે ‘ઓપરેશન ચક્ર’નો મુખ્ય હેતુ સાયબર ગુનાખોરીના સંગઠિત નેટવર્કને તોડી પાડવાનો અને ડિજિટલ ઠગાઈના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવાનો છે. તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડો તથા ખુલાસાઓ થવાની શક્યતા છે.

Related Articles

ભારત

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં દુર્ઘટના: સભા મંડપની છત ધરાશાયી થતાં 7થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં આવેલી યશવાડી દેવસ્થાન ખાતે શનિવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ...

ભારત

નાગપુરમાં એરફોર્સ અધિકારીની પત્ની પર બળાત્કાર અને ધર્મ પરિવર્તનનો પ્રયાસ, VIDEO વાયરલ

મહારાષ્ટ્રના નાગપુરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં એરફોર્સ અધિકારીની 24...

ભારત

6 જૂનના રોજ “CJP” જંતર મંતર પર પ્રદર્શન કરશે, જંતર-મંતર પર સીધા જઈને ન કરી શકાય પ્રદર્શન, જાણો શું છે નિયમો

“કોકરોચ જનતા પાર્ટી” (CJP) એ 6 જૂને દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરવાની...

ભારત

“ઓપરેશન સિંદૂર હજુ પૂરૂં નથી થયું, જો દુસ્સાહસ કર્યું તો…”; મિડલ ઈસ્ટમાં જારી યુદ્ધ વચ્ચે પાકિસ્તાનને રાજનાથ સિંહની ચેતવણી

રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓને જોતા આપણો પડોશી...