Friday , 19 June 2026
Home ભારત નાગપુરમાં એરફોર્સ અધિકારીની પત્ની પર બળાત્કાર અને ધર્મ પરિવર્તનનો પ્રયાસ, VIDEO વાયરલ
ભારત

નાગપુરમાં એરફોર્સ અધિકારીની પત્ની પર બળાત્કાર અને ધર્મ પરિવર્તનનો પ્રયાસ, VIDEO વાયરલ

મહારાષ્ટ્રના નાગપુરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં એરફોર્સ અધિકારીની 24 વર્ષીય પત્નીએ બળાત્કાર, બ્લેકમેઇલ, ખંડણી અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસના ગંભીર આરોપ લગાવ્યા છે. પીડિતાના જણાવ્યા મુજબ આરોપીઓએ તેને નશીલી વસ્તુ પીવડાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને બાદમાં વીડિયો તથા ફોટાઓના આધારે બ્લેકમેઇલ કરીને પૈસાની ઉઘરાણી કરી હતી.

આ કેસમાં એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મહિલા રડતા-રડતા “મને જવા દો” કહેતી જોવા મળે છે, જ્યારે એક વ્યક્તિ તેના હાથ પકડીને ધાર્મિક મંત્રોચ્ચાર કરતો દેખાય છે. મહિલાનો આરોપ છે કે તેની ઇચ્છા વિરુદ્ધ ધર્મ પરિવર્તનની વિધિ કરાવવામાં આવી હતી અને તેના પર સતત દબાણ કરવામાં આવતું હતું.

પોલીસે આ મામલે મુખ્ય આરોપી અય્યાઝ મદારે અને તેના સાથીદાર અમીન શેખને ઝડપી લીધા છે. તપાસમાં સામે આવ્યું છે કે અય્યાઝ પીડિત મહિલાનો પૂર્વ સહાધ્યાયી હતો. આ ઉપરાંત, મહિલાનું કથિત રીતે ધર્મ પરિવર્તન કરાવનાર મૌલાનાની શોધખોળ પણ તેજ કરવામાં આવી છે. ફરાર મૌલાનાને પકડવા માટે પોલીસની વિશેષ ટીમને મધ્ય પ્રદેશ રવાના કરવામાં આવી છે અને વિવિધ સ્થળોએ તપાસ ચલાવવામાં આવી રહી છે.

Related Articles

ભારત

6 જૂનના રોજ “CJP” જંતર મંતર પર પ્રદર્શન કરશે, જંતર-મંતર પર સીધા જઈને ન કરી શકાય પ્રદર્શન, જાણો શું છે નિયમો

“કોકરોચ જનતા પાર્ટી” (CJP) એ 6 જૂને દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરવાની...

ભારત

“ઓપરેશન સિંદૂર હજુ પૂરૂં નથી થયું, જો દુસ્સાહસ કર્યું તો…”; મિડલ ઈસ્ટમાં જારી યુદ્ધ વચ્ચે પાકિસ્તાનને રાજનાથ સિંહની ચેતવણી

રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓને જોતા આપણો પડોશી...

ભારત

ઇચ્છામૃત્યુની મંજૂરી મેળવનાર 31 વર્ષીય હરીશ રાણાના અંતિમ સંસ્કાર, 13 વર્ષ કોમામાં રહ્યા બાદ નિધન

દિલ્હીમાં નિષ્ક્રિય ઇચ્છામૃત્યુની પરવાનગી મેળવનાર પ્રથમ વ્યક્તિ હરીશ રાણાના અંતિમ સંસ્કાર કરવામાં...

ભારત

નેશનલ હાઈવે પર દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સને ટ્રકે ટક્કર મારી, 7 લોકોના કરુણ મોત

અસમના સોનિતપુરમાં ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે થયેલી ટક્કરમાં સાત લોકોના મોત થયા...